SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશ અવકાશિત અને પ્રકાશિત છે. આકાશ સર્વદ્રવ્યોને પોતાનામાં રહેવા જગ્યા આપે છે અર્થાત્ બધા દ્રવ્યો આકાશને આધારે રહેલા છે. આકાશ સર્વને પોતાનામાં સમાવી લે છે છતાં તે પીડા પામતો નથી, તેમ આત્માએ પણ સર્વ જીવોને મૈત્રાદિભાવ વડે સ્વમાં સમાવી લેવાના છે અને પછી સ્વરૂપથી સર્વમાં સમાઈ જવાનું છે. જે સર્વ જીવોને સિદ્ધ સ્વરૂપી સ્વીકારી પોતાના આત્મામાં સમાવી લે છે અને કોઈ જીવ પ્રત્યે રાગ તેષનો વિષમભાવ રાખતા નથી, તેઓની જ દષ્ટિ સંપૂર્ણ નિર્મળ બને છે અને તે જ સર્વ જીવો સાથે સમભાવે વર્તન કરતા, રાગ-દ્વેષ રહિત થતા વીતરાગ બને છે અને વીતરાગ બનેલો આત્મા સર્વ જ્ઞેય અને સ્વ પર પૂર્ણ પ્રકાશક બને છે. અરિહંતના આત્માઓ સર્વ જીવોને પોતાના હૃદયમાં સ્થાન આપે છે તેથી એકેન્દ્રિય જીવો પણ અરિહંત પરમાત્માને અનુકૂળ થઈને રહે છે. વૃક્ષો નમી પડે છે, વાયુ અનુકૂળ થાય છે. સિદ્ધમાં એક જીવ જાય છે ત્યાં અનંતા બીજા સિદ્ધના જીવોમાં તે જીવ સમાઈ જાય છતાં કોઈને પીડા કે અકળામણ થતી નથી. આત્મા જ્ઞાન વડે લોકાલોક વ્યાપક અને પ્રકાશક છે. આકાશમાં બધા પદાર્થો પ્રકાશિત થાય છે. આકાશમાં અનંત અનંત પુદ્ગલ સ્કંધો પ્રકાશ આપે છે. તેમાં જ પદાર્થોની છાયાદિ આકૃતિઓનું પ્રતિબિંબ પડે છે. પ્રકાશના તેજ પુદ્ગલો અંધકારરૂપ પરિણામ પામે છે. આ પ્રમાણે પુદ્ગલ સ્કંધમાં ૧૦૦ પરિણામો થાય છે. તેથી જ જગતમાં વિચિત્રતાઓ દેખાય છે. જેમ આકાશાસ્તિકાય સર્વને પોતાનામાં સમાવી લે છે અને સર્વ તેમાં પ્રકાશિત થાય છે, જે રીતે ધર્માસ્તિકાય પણ પોતાના સ્વરૂપને જોયા વિના ગતિ કરવાના સ્વભાવવાળા જીવ- પુદ્ગલ દ્રવ્યને સહાય કરે છે, તેમ જે ભવ્યાત્મા પોતાનો મોક્ષ પ્રગટ કરવાની યોગ્યતા ધરાવતા હોય તેમાં સહાયક બનવાની પરમ ફરજ છે. પરસ્પર ૩પપ્રદો નીવાનાં એક જીવે બીજા જીવ પર ઉપગ્રહ એટલે ઉપકાર કરવો એ જીવ સ્વભાવ છે. જીવનો અંતિમ મુખ્ય સ્વભાવ છે સ્વયં કોઈને પીડા આપવી નહીં અને કોઈથી પીડા પામવી નહીં. આથી જીવ જયારે પોતે કોઈ પ્રકારની પીડા પામતો નથી ત્યારે પ્રથમ સ્વ જીવ પર ઉપગ્રહ કરે છે અને પછી બીજા કોઈને પીડા આપતો નથી ત્યારે બીજા પર તેણે ઉપગ્રહ કર્યો કહેવાય. આમ જે જીવમાં આ સ્વભાવ જયારે સિદ્ધ બને ત્યારે પૂર્ણ રૂપે પ્રગટ કરે ત્યારે જીવે બીજા ઉપર ઉપગ્રહ કર્યો કહેવાય. આથી જ જિનાજ્ઞા પણ તે જ પ્રમાણે છે. સર્વે નીવા ન દંતવ્વા અર્થાત્ કોઈ પણ જીવને હણવો ન જોઈએ – પીડા આપવી ન અજીવ તત્વ | 11
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy