SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ निज विशुद्धात्मस्वरूप दर्शनकरणीभूतात्म परिणाम बत ज्ञानप्राणभूता वर्तते। | (દ્વાત્રિશત-દ્વાચિંશિકા ટીકા) પોતાના વિશુદ્ધાત્માના સ્વરૂપનું દર્શન થાય તેવો જ્ઞાનનો પરિણામ આત્મામાં સતત પ્રાણની જેમ વર્તવો જોઈએ અને તેમાં અનંત જ્ઞાનાદિ ગુણ સંપતિ છે તેના દર્શન આત્માએ નિરંતર કરવાના છે અર્થાત્ “હું શેય આત્મા અરૂપી દ્રવ્ય છું”, મારે શેય રૂપે આત્માના નિરંતર જ્ઞાતા બનવાનું છે. આ જ પ્રથમ જિનાજ્ઞા છે. પ્રભુદર્શન કરવા ભણી, દર્પણ પૂજાવિશાલ, આભ દર્શનથી જુએ, દર્શન હોય તકાળ. શુદ્ધ ઉપયોગને સમતાઘારી, જ્ઞાન ધ્યાન મનોહારી કર્મ કલંકકુ દૂરનિવારી જીવ વરે શિવનારી | (આત્મ સ્વભાવની સક્ઝાય) શુદ્ધોપયોગ રૂ૫ ભાવપ્રાણ રૂપે જીવવું એ જ પ્રધાન જિનાજ્ઞા છે, એના જ ફળરૂપે આત્મા પોતાના સમતા સ્વભાવમાં રમણતા કરી શકે છે. એ જ સાચું જ્ઞાન જે ધ્યાનનું કારણ બને. આથી જ પૂજાના વ્યવહારમાં દર્પણમાં પરમાત્માનું મુખ જોવાનો વ્યવહાર કહ્યો છે અને તે આત્મદર્શન કરવાના અભ્યાસરૂપે જ છે. પરમાત્માના પૂજાદિના ઉપચાર નિમિત્તે પણ સ્વભાવની ભાવપૂજા-આત્મગુણોને પ્રગટાવવાનો લક્ષ રાખવાનો છે. જે જ્ઞાનમાં આત્માની રુચિ થતી નથી તે જ્ઞાન અજ્ઞાન રૂપ છે. આત્મ જ્ઞાન થી જ્ઞાન Èશેષ સભી અજ્ઞાન, વિશ્વ શાંતિકા મૂલ હૈ, વીતરાગ વિજ્ઞાન. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અધ્યાત્મ સારમાં કહે છે, “માત્મજ્ઞાન ધ્યાન.'આત્મજ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાનનું ફળ ત્મિહિત = આત્મસ્વભાવમાં રમણતા. (આત્મ સ્વભાવમાં સ્થિરતા આત્માના સમતા સ્વભાવનો અનુભવ.) “અસ્તિ સ્વભાવ છે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત. પ્રભુ સન્મુખ વંદન કરીએ, માગીશ આત્માહેતો” (કુથુનાથ સ્તવન પૂ. દેવચંદ્ર મ.સા.) 8 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy