SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા નિરાકાર તેયાદનઆવ્યું તે ગુન્હો છે. આત્માને સમજયા વિના તો ઘણો ધર્મ આજસુધી આત્માએ કર્યો પણ આત્માની જાગૃતિ ન રહી. પરમાત્માની પૂજા કરવા ગયા, જે કપડાદાગીના પહેર્યા છે તેનારંગ, આકાર, ડિઝાઈન, જે સ્ટાઈલથી પહેર્યા છે- તમે તેમાં કે તેનાથી પર? આત્માની સાથે ન રહેવું અને પરની સાથે રહેવું તે જ ગુનો. નિસીહિનો અર્થ સંસારનો-પરસંગનોત્યાગ, તમામ પુદ્ગલના સંગનોત્યાગ. અનુપમાએ ઉપાધિરૂપ ઘરેણાને નિરંજન નેમિનાથને ચડાવી નિરપાલિક અરૂપી ગુણરૂપ ઘરેણાનું અનુબંધનું સર્જન કર્યું: સર્વ ઉપાધિથી રહિત નેમનાથ પ્રભુને જોઈ અનુપમા દેવીએ ઉપાધિરૂપ ઘરેણાં પ્રભુને ચડાવી નિરૂપાધિકના અનુબંધનું સર્જન કર્યું. અનુપમાદેવીએ પરમાત્માને જોતા પોતે વર્ષે કાળા હતા, પ્રભુ પણ બાહ્યથી શ્યામ કાંતિને ધારણ કરનારાઆપણે સમાન છીએ. તો તું ઉપાધિથી રહીત તો હું પણ ઉપાધિમાં શા માટે રહું? ત્યાં એ યાદ ન આવે કે હું કોણ? તેજપાલની પત્ની. આવું કાંઈ જ યાદ નથી માટે જ તમામ ઉપાધિથી મુકત થવા ઉત્કંઠિત થયા. પ્રભુ ઘરેણાં વિનાના અને પોતાને ઘરેણાંની ઉપાધિથી યુકત જોઈ સર્વ ઉપાધિરૂપ ઘરેણાંને ઉપાધિ રહિત પ્રભુને ચડાવી નિરુપાધિકના અનુબંધનું સર્જન કર્યું. આત્મવીર્ય આત્માના ગુણો સાથે જોડાય તો તેને મોક્ષ યોગ કહેવાય છે અને પર પુદ્ગલની સાથે જોડાય તો તેને સંસારનો યોગ કહેવાય છે. અનાદિકાળથી પરનું જોડાણ આત્મા સાથે થયેલું છે. તેનાથી છૂટવાની પ્રક્રિયા માત્ર મનુષ્ય ભવમાં જ પૂર્ણ થઈ શકે, માટે જ મનુષ્ય ભવની કિંમત આંકવામાં આવી છે. કર્તવ્ય રૂપે માત્ર કાર્ય એટલું જ છે કે અનાદિથી જે પુદ્ગલરૂપ સંયોગ સંસાર વળગ્યો છે તેનાથી છૂટા થવાનો ભાવ થવો અને તેમ કરવા માટે પુરુષાર્થ કરવો. પુરુષ એટલે આત્મા, આત્માનો અર્થ શું? જેમ સંસારમાં અર્થ તે ધન છે અને આત્મા માટે આત્માને પોતાના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઈ તે આત્માનું ધન અને તે જ ધર્મ છે અને તે સિવાય આત્માને કંઈ પણ મળે તો તે અધર્મ છે. દરેક દ્રવ્યનો નિયમ તેના સ્વભાવ પ્રમાણે વર્તવું તે જ તેનું કાર્ય છે. પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તે કુદરતની વિરુદ્ધ કહેવાય. આપણે પણ એક દ્રવ્ય જ છીએ તો આપણે પણ આપણા ગુણો પ્રમાણે વર્તવું જોઈએ, ન વર્તીએ ત્યારે અધર્મી કહેવાઈએ. પંચપરમેષ્ઠિ એ ધર્મી છે. જ્ઞાનાદિ ગુણ એ ધર્મ છે. ધર્મ જેનામાં હોય તે ધર્મી. નવપદમાં ધર્મ-ધર્મી એમ બે વિભાગે. ધર્મ એક જ સાધ્ય છે પણ આપણે એ સમજતા નથી. 200 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy