SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબન છે. આ જિન વચનરૂપ આજ્ઞા એ ધર્મધ્યાનના પ્રથમ પાયારૂપ છે. તે શુદ્ધોપયોગરૂપ પકડીને તેને ધર્મધ્યાન આજ્ઞાવિયરૂપ પાળવામાં આવે તો તે આત્મહિતનું અવશ્ય કારણ બને. સામાયિક રૂ૫ વચનાનુષ્ઠાન વડે સમતાઆત્મ સ્વભાવમાં સ્થિર થવાનું છે. ક્રોધનું નિમિત્ત આવ્યું તમે જિનવચનરૂપ આલંબન પકડ્યું. “ન પ્પિના.”જિનાજ્ઞા ક્રોધ ન કરાય” સાધુ પોતાની ભૂલ છે કે નહીં તે વિકલ્પ ન કરે. માત્ર જિનની આજ્ઞા છે તેથી મારાથી ક્રોધ કરાય નહીં, નિર્વિકલ્પ બની સમતા સ્વભાવમાં રહે તો તેને નિર્જરા થાય. જો સમતામાં ન રહે તો નિર્જરા ન થાય અને જેટલા વિકલ્પ શુભ-અશુભ કરે તેટલા શુભાશુભ કર્મબંધ થાય. આ રીતે જિનવચનનો વારંવાર અભ્યાસ કરતા સમતા સ્વભાવમાં જયારે સહજ આવી જાય ત્યારે નિર્વિકલ્પરૂપ અસંગ અનુષ્ઠાન બને અને તે દ્વારા સ્વભાવરૂપ યોગ્યતા થવા રૂપ ઉપાદાન ખીલી ઉઠે. નિમિત્તથી ખસીને સહજ સ્વભાવમાં આવ્યો તેથી સહજ નિર્જરા એ નિરાલંબન ધ્યાન છે. આત્મા શેયનો જ્ઞાતા છે પણ સર્વપ્રથમ શેય પોતાના આત્માને જાણી પછી બધું જાણે તો હેય-ઉપાદેયનો વિવેક આવશે. જે આત્માને સ્પર્શે તો ભવસાગર તરવા તરફ પ્રયાણ શરૂ થશે. શેયના જ્ઞાતા થવાનું છે પણ આત્મા તો પ્રત્યક્ષ થતો નથી તો આધાર શું? સર્વજ્ઞ આત્માને પ્રત્યક્ષ જાણનારા, જોનારા અને જગતને તે જણાવતા રહે છે. તેથી તેના વચન પર જ અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ રાખી જ્ઞાનમાં તે શુદ્ધસ્વરૂપના આલંબનને પકડી ચાલવાનું છે તે જ જિનવચન છે. વર્તમાનમાં અરૂપી આત્મા કર્મયોગે રૂપી, અયોગી આત્મા યોગી, અશરીરી-આત્મા શરીરી અને અતીન્દ્રિય આત્મા ઈન્દ્રિયવાળો થયો છે. આ અભેદી થયેલા આત્માનું સત્તાગત મૂળ શુદ્ધ સ્વરૂપ અને ઉદયગત અશુદ્ધ સ્વરૂપનો ભેદ પકડાવો જોઈએ. પુદ્ગલ સાથે વર્તમાનમાં અભેદભાવને પામેલાનો ભેદ કરવાનો છે અને સ્વભાવમય બનવાનું છે. ધ્યાનમાં આત્માને પોતાના સ્વભાવ અને સ્વરૂપ તથા પુદ્ગલનું સ્વભાવ, સ્વરૂપનું ભાન નહીં હોય તો આત્મા મુંઝાશે, ધ્યાન બે ધ્યાન બનશે. आत्मतत्वानभिज्ञस्य न स्यादान्मन्यवस्थितिः। मुह्यत्यतः पृथक् कर्तु स्वरूपं देहदेहिनोः ॥२॥ | (યોગ પ્રદિપ) અજીવ તત્ત્વ | 185
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy