SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયાન લવ લેશ, અષ્ટકરમને યુરવા, પહેર્યો સાધુ વેશ. દુઃખનું મૂળ દોષ છે આથી સાધુપણુ એટલે દોષોના ત્યાગરૂપ અને સવે ગુણોમય થવારૂપ. આથી સાધુ જેટલા અંશે પોતાના આત્મામાંથી દોષોને દૂર કરે તેટલા અંશે તેમાં ગુણ પ્રગટે, તેટલો સાધુ સુખી થાય – અને તે જ સાધુ જંગમ તિર્થરૂપ ગણાય. આથી સાધુનામ દર્શન પૂછ્યું, તીર્થભૂતા હી સાધવ: તીર્થ નિ વાત્મન સરો સાધુ સમાગમ: સાધુ એ જંગમ તીર્થરૂપ તેથી તેના દર્શન-સમાગમ તાત્કાલિક ફળે. આત્માને પવિત્ર કરેજ્યારે સ્થાવર તીર્થ કાલાન્તરે ફળે. • શાનાથી શાસન-શેનાથી તીર્થ? : આત્મા એ જ તીર્થ, એ જ શાસન ગુણોથી એ શાસન છે અને ગુણોથી જ એ તીર્થ. સાધુ એ જ જંગમ તીર્થ છે. તમને જંગમ તીર્થમાં તીર્થ નથી દેખાતું પણ સ્થાવર તીર્થની કીંમત વધુ લાગી માટે ત્યાં દોડા-દોડી કરીને જંગમ તીર્થને સેવ્યા નહીં, તત્ત્વને સમજે નહીં, પરમાત્માને પરમાત્માની આજ્ઞાને ન સમજે, ને પ્રભુને ભજ્યા, ને આશાતના કરી. માટે હવે જાતને સુધારવાની છે. ૪ મહિના જંગમ તીર્થની ઉપાસના કરવાની છે. પરમાત્માએ ૧૧ બ્રાહ્મણોને પ્રતિબોધ અને ૪૪૧૧ ને સંયમ આપ્યું પણ પ્રભુ ગોશાલાને પ્રતિબોધ ન કરી શક્યા, પ્રભુ પણ જગતને ન ફેરવી શક્યા. પૂર્વના કાળમાં ૧૦૦-૧૦૦ માણસો સાથે રહેતા હોય. ૧-૨ જણ કમાવા માટે બહાર જાય. બે ચાર વર્ષે પાછા આવી જાય પણ ત્યાં ડેરા-તંબૂનતાણે, ને બધા જ ધર્મની આરાધના કરે. શીલનું સુંદર રક્ષણ થાય.આવી આર્ય સંસ્કૃતિ હતી. આજે વિષયોની આગ ભભૂકી ઊઠી છે માટે ઘરમાં જેટલા હોય તે બધા કમાવા જાય. ધર્મમાં વિરાગી બન્યા ને સંસારના રાગી બન્યા. બધાએ મોટા જ થવું છે માટે આ બધા પ્રોબ્લેમ ઉભા થયા. એટલે હવે ધર્મ કરવાનો સમય ક્યાં મળે? જે કાર્ય બાળપણમાં કરવાનું હતું તે હજુ સુધી ન કરી શક્યા. તત્ત્વ ન સમજવાના કેવા પરિણામ આવ્યા? ૪ મહિના જંગમતીર્થની એવી ઉપાસના કરો, જેથી સદા માટે તમે જંગમ તીર્થ સ્વરૂપ બની શકો. છ'રી પાલિત યાત્રા કરતા તીર્થ પહોંચે ત્યારે તે પોતે જંગમ તીર્થ સ્વરૂપ બની જવાની ભાવનાવાળો બની જાય. આઠમા દંડવીર્ય રાજાના સંઘમાં ૭ ક્રોડ મનુષ્યો કેવલજ્ઞાન પામી ગયા. જે પરિણામોની ધારાથી પરમાત્માની આજ્ઞાનું પાલન કરતો જાય તેને કેવલજ્ઞાન થાય. આપણે 168 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy