SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કે સંજવલન મોહનીયના ઉદયે થાય અને તેમાં મીઠાશ, કોમળતા, સ્નિગ્ધતા તે સુખરૂપ પણ લાગે કારણ મોહનીયનો ઉદય છે. જો સમ્યક્ત મંદ પડી જાય અને મિથ્યાત્વ જોર મારી જાય તો ખાવામાં સુખ બુદ્ધિ તથા આનંદ પણ આવી જાય, પણ સમ્યક્તનો પરિણામ પાછો આવે એટલે એનો પશ્ચાતાપ થાયને જે બાંધ્યું છે તેના કરતા વધારે નિર્જરા પણ કરે. સર્વવિરતિવાળાને પ્રયોજન વિના વાપરવાનું નથી. કારણ ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારથી દેહના ત્યાગનો નિર્ણય કરેલો છે. જેટલો પશ્ચાતાપ તીવ્ર તેટલી નિર્જરા થાય. • issને સાતમી નરકનું આયુષ્ય કેમ બંધાયું?: કંડરિકને ઈષ્ટ આહાર ભોગવવાનો કાળ માત્ર એક દિવસ. ભોગવ્યું કેટલું એના કરતા ભોગવવાનો જે તીવ્ર પરિણામ હતો તેના કારણે ૭મી નરકનું કંડરિકે આયુષ્ય બાંધ્યું. કંડરિકે તો એક દિવસ ભોગવ્યું પણ તંદુલિયો મત્સ્ય ભોગવતો નથી માત્ર જોઈને જ ભોગવવાના ભાવ કરવા વડે ૭મી નરકનું આયુષ્ય બાંધે છે. જીવ જ્યાંથી આવ્યો પાછો જાય પણ ત્યાં જ. ૩૩ સાગરોપમની સજા ભોગવીને તો ૭મી નરકમાંથી નીકળી ને પછી તંદુલિયો બન્યો અને પાછો ૭મી નરકમાં જાય. મિથ્યાત્વનો અનુબંધ ઉભો હોય એ નાશ ન પામે ત્યાં સુધી ફરીથી સમકિતની પ્રાપ્તિ ન થાય. મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય, જાતિ સ્મરણ થાય, દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળે તો પણ એની માન્યતા ન ફરે, કારણ અનુબંધ તૂટતો નથી. બંધ સમયે ચિત્ત ચેતીયે, તો ઉદયે શો સંતાપ? જિન વચન વિના જીવ સાવધાન નહીં બની શકે, સંસાર છોડી દેવા જેવો છે એ અભિલાષ છે અને હવે છોડી જ દેવો છે એ રુચિનો પરિણામ છે. યશોધર મહર્ષિને પૂર્વના ૯મા ભવે પત્નીના સ્નેહ અને માતાના મમત્વના કારણે ચારિત્રનો થોડો પ્રમાદ થયો તો સમ્યક્ત વાઈ ગયું. મિથ્યાત્વના કારણે ૭-૭ તિર્યંચના ભવો કર્યા. દરેક ભવમાં જાતિ સ્મરણ થવા છતાં મિથ્યાત્વનો અનુબંધ તૂટ્યો નહીં. ૭મા ભવમાં ફરીથી સમ્યત્ત્વની પ્રાપ્તિ થઈ અને સમ્યક્ત મળે એટલે ૧૪ રાજલોકમાં અમારિની ઉદ્ઘોષણા કરવાનો મનોરથ થાય. છ આવરચક એ યુગલભાવથી અભેદ થયેલા જીવને ભેદ કરવાની પ્રક્રિયાપ ધ્યાન છે. અજીવ તત્ત્વ | 165
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy