SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ પુગલના સ્વભાવ પ્રમાણે વર્તે અને મોહના પરિણામને વશ થાય માટે ખી થાય છે. આથી પરમાત્માએ ભાવના ભાવી કે જો મારામાં શક્તિ આવે તો બધા જીવોને મોહના શાસનથી મુક્ત કરાવી જિનના શાસનને પમાડી દઉં અર્થાતુ બધા જીવો મોદથી મુક્ત બની પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા મડે તો દુખથી મુક્ત બની આત્મસુખના ભોગી બને. સ્વભાવની રુચિ થવી એ જ તત્ત્વથી સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શન જ્યારે નિર્મળ પ્રગટ થાય ત્યારે જગતનું સાચું સ્વરૂપ જાણે અને એ રીતે જ એને સ્વીકારે. જે સર્વજ્ઞ છે તેઓ પોતાના સર્વજ્ઞ સ્વભાવને પૂર્ણ પ્રગટ કરી ચૂક્યા છે. તેઓ સ્વભાવ પ્રમાણે જ પ્રર્વતી રહ્યા છે. કેવલજ્ઞાન એ પૂર્ણ સ્વભાવરૂપ છે કે જગતમાં જે દ્રવ્યો શેય છે તેનું તે જ રીતે પ્રકાશન કરવું. પરમાત્મામાં કર્તાપણું સ્વસ્વભાવનું છે. તેથી તેઓ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. આ શાસન સમજાઈ જાય તો સમાધિ ગમે તેવા સંયોગોમાં રહી શકે છે. મોક્ષ હાથવેંતમાં જ છે. અચિંત્ય પ્રભાવવાળું આ શાસન છે અને એને તત્ત્વથી નહીં સમજીએ તો તેનો પ્રભાવ આપણા પર કદી પણ નહીં પડે. પરમાત્માએ જે વાત જે સ્વરૂપે કહી તે વાતોનો નિર્વિકલ્પ સ્વીકાર કરવો, તેમાં પોતાની બુદ્ધિ ઉમેરવી નહીં તો જ સમ્યગ્દર્શનનો પરિણામ છે. આપણને આપણા સ્વભાવ સિવાય બીજે ક્યાંય રુચિ ન થવી જોઈએ. મિથ્યાત્વના ઉદય પુદ્ગલમાં રુચિનો પરિણામ જીવને થાય, તેનામાં જ પૂર્ણતા માને અને તેને મેળવવા માટે જ આકાશ પાતાળ એક કરે. ૬ ખંડ જીતવાનું પણ પ્રયોજન શું? આ જ. સુભૂમ ચક્રવર્તી બીજા ૬ ખંડ જીતવા નીકળ્યો કોઈની પાસે ન હોય તેટલું મારી પાસે હોય તો બરાબર. આ જ મિથ્યાત્વ. આપણે પણ આપણી જાત માટે એ વિચારવાનું છે “હું ક્યાં છું, મને શું મેળવવાનો ભાવ છે? માર્ગમાં છું કે નહીં?” સમુદ્રના કિનારે ઉભો હોય તેને ભરતી વગેરે જોવી ગમે છે પણ મહી પડ્યા તે મહાસુખ માણે આપણને શાસન ગમ્યું પણ તત્વથી તેને ન સ્વીકારીએ તો સંસાર જ વધશે. પણ જો એને તત્વથી પામીએ તો પૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકીએ. પરમાત્માના શાસનથી જ વધારે સારો સંસાર મળે. આ જગતમાં વધારેમાં વધારે માન પણ અહીં જ મળે છે. ઈંદ્રો ચક્રવર્તી પણ સાધુને નમે તે દ્વારા માનની પ્રાપ્તિ થાય. આથી શાસનને પામવા માટે સૌ પ્રથમ ભવ નિર્વેદ મૂક્યો. ભવના ભય વિના 152 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy