SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કોઈને પીડા આપીશું નહીં તો આપણને પણ પીડા મળશે નહીં. જ્યારે આત્મા પરના સંયોગ સંબંધથી નિવૃત્ત પરિણામવાળો બને ત્યારે જ તે સ્વના પરિણામવાળો બને. પરનો અનાદિનો પુદ્ગલનો સંયોગ જે આત્માને થયો છે તેથી મોહના પરિણામથી બંધાયેલો છે માટે મોહના પરિણામને છોડવાનો છે, તો જ આત્મા પોતાની અલિપ્ત અવસ્થા-અસંગ દશાને પામી શકે અને ભેદજ્ઞાન દ્વારા જ આત્મા પોતાના સ્વરૂપને જાણી શકશે અને એને પ્રગટ કરી શકશે. વર્તમાનમાં આત્મા માત્ર દ્રવ્ય સ્વરૂપે નથી પણ પુદ્ગલના સંયોગવાળો છે અને આપણા જ્ઞાનમાં એનો ઉપયોગ ન આવે તો જ્ઞાન પોતાનું કાર્ય કરતું નથી. જ્ઞાનનું કાર્ય શેયને જાણવાનું છે. જેનું અસ્તિત્વ છે તેને જાણવાનું છે. જ્ઞાન આ કાર્ય કરતું થાય તો જ આત્માના હિતની શરૂઆત છે. જે આત્માના અહિતમાં કારણ છે એનાથી આત્માને છૂટવાનું છે તેના પ્રત્યે હેય પરિણામ આવવો જોઈએ. આત્માના વીર્ય પરિણામ હેયથી છૂટા થઈ સ્વમાં પરિણમવો જોઈએ. આત્મવીર્ય પોતાના ગુણમાં ન પરિણમે તો સ્વાત્માનો અનુભવ થઈ શકે નહીં. આત્મા અને પુદ્ગલ બન્નેનો ભેદજ્ઞાનરૂપે ઉપયોગ આવવો જોઈએ. ઉપયોગની શુદ્ધિ થાય તો જ સાધનાની શરૂઆત થાય. સાધનામાં જરૂરી શું છે? સૌ પ્રથમ સાધ્યનો નિર્ણય. સાધ્ય શું છે? સ્વાત્માની સત્તામાં રહેલી સ્વરૂપ અને સ્વભાવની પૂર્ણતા. બન્નેની પૂર્ણતામાં પ્રથમ જ્ઞાનાદિ ગુણ સ્વભાવની પૂર્ણતા સાધવાની છે ઘાતિ કર્મો નાશ થયે છતે કેવળજ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા પ્રગટ થાય, બધીજ અઘાતિ નાશ થશે તે માટે પોતાના અરૂપી સ્વરૂપની પૂર્ણતા ઉપયોગમાં સતત રહેવી જોઈએ. જો આત્માને સ્વરૂપની પૂર્ણતાનું ભાન ન હોય, અરૂપી, અક્ષય, અગુરુલઘુ ને અવ્યાબાધ છું એ ઉપયોગ ન હોય તો મોહનો પરિણામ ઉભો થાય છે, તો હું રૂપી છું, મરી જઈશ, નાનો કે મોટો છું ને પીડા પામી રહ્યો છું આ ઉપયોગ તો ચાલુ જ છે, તો આત્મવીર્ય પોતાનું કાર્ય નહીં કરી શકે. માટે સ્વરૂપનો ઉપયોગ પ્રથમ જરૂરી છે અને સાધનામાં સતત સ્વરૂપનો ઉપયોગ રાખીને સ્વભાવને પ્રગટ કરવાનો છે, “આત્મા છું ને શરીર નથી” આ ઉપયોગમાં સદા રહેવાનું છે. • બંધના કારણો : ૧) મિથ્યાત્વ : શરીરના સંબંધને જે આત્મા છોડી શકે તે જગતના તમામ સંબંધોને સહેલાઈથી છોડી શકે કારણ કે બધા સંબંધોમાં મારાપણું – મૂળ શરીરનું મારુંપણું છે. કોઈ સાથે સંબંધ બંધાવાનો સ્વભાવ જીવનો નથી પણ અજીવ તત્ત્વ | 143
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy