SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્ય સાથે આત્મા કદી બંધાતો નથી ત્યાં તેને રાગદ્વેષ થતા નથી. મોહના ઉદયે આત્મા પુદ્ગલ ગ્રહણ કરવાના પરિણામવાળો બન્યો. આત્માનો સ્વભાવ ગ્રહણ કરવાનો નથી, આ સ્વભાવ પરિણામવાળો બન્યો. આત્માનો સ્વભાવ ગ્રહણ કરવાનો નથી, આ સ્વભાવ પુદ્ગલનો છે. આત્માનો સ્વભાવ નથી અને આત્મા ગ્રહણ કરે છે એટલે એ ચોરી કહેવાય એટલે તેમાંથી બચાવવા આ મહાવ્રતો અને અણુવ્રતોનો વ્યવહાર આવ્યો. જન્મ્યાત્યારથી બધીજ પારકી વસ્તુની ચોરી જ કરી છે અને તેને પોતાની માનીને મિથ્યાત્વને પુષ્ટ કરતો જીવી રહ્યો છે અને એના માટે મારા મારી કરી રહ્યો છે અને હવે છોડવાની છે. છોડ્યા વગર આત્માનો કદી પણ છૂટકારો થવાનો નથી. આ તત્ત્વને પકડી લો તો અમૃત જેમ મૃત્યુનો નાશ કરે છે તેમ આ તત્ત્વ પણ આપણને અમર બનાવી દેશે. પુદ્ગલ પણ પોતાના સ્વરૂપને છોડતું નથી પણ આત્મા જ જડ સાથે રહીને જડ બની ગયો છે હું અને મારું ભ્રાન્તિ થઈ ગઈ છે ન અહંન મમ આમોહની ભ્રાંતિને તોડવાનો પ્રતિમંત્ર છે. સમગ્ર આગમનો સાર બે શબ્દમાં, ગાગરમાં સાગર, સિંધુને બિંદુમાં સમાવી દીધું છે. જ્યાં સુધી આત્માસ્વ અહિતથી મુક્ત નથી બનતો ત્યાં સુધી એ બીજાના અહિતમાં પણ નિમિત્ત બની રહ્યો છે માટે આ મનુષ્ય ભવમાં જ આત્માએ પરમ પુરુષાર્થ સાધી લેવાનો છે અને સંસાર ચક્રનો અંત લાવી દેવાનો છે. હિત શબ્દની આગળ ધ્યાન શબ્દ મૂકીને કહી દીધું છે. જ્યાં સુધી આત્મા સ્વરૂપને પકડી સ્વભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી ધ્યાન થઈ શકવાનું નથી. માટે આત્માએ પરગ્રહણ સ્વભાવને છોડી દેવાનો છે જે આત્માનો પરિણામ નથી, એ પુદ્ગલનો પરિણામ છે. આત્માનો પરિણામ તો સ્થિર છે પણ અનાદિથી આત્મામાં ગ્રહણ પરિણામ ચાલુ જ છે એટલે પુદ્ગલના ગ્રહણનો ત્યાગ કરીને સ્વ પરિણામમાં અર્થાત્ સ્વગુણોમાં પરિણત થવાનું છે. માટે ગુણ સ્થિરતા રૂપી ધ્યાન માટે સ્વ અને પરદ્રવ્યનો નિર્ણય જરૂરી છે માટે નિર્ણય કરીને જીવે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવાનું છે. મારા સ્વભાવમાં મારે રહેવું એ જ મારી ફરજ, એ જ મારું કર્તવ્ય છે, એ જ પરમ ધર્મ છે, એ જ મનુષ્ય જીવનનો સાર છે. જેને સ્વમાં જીવન જીવવાની કાળજી છે તેને મરણનો ભય નહીં. સાધનામાં આત્માએ સિદ્ધ સ્વભાવમાં સ્થિર થવું એ જ એનો ધ્યેય છે. હું જીવ છું એ સતત આપણા ઉપયોગમાં રહેવું જોઈએ. મારે જીવવું એ જીવનો 138 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy