SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ માન કષાય પોષાય છે. જ્યારે સ્વમાં મિથ્યાત્વ અને માન બન્ને ઘટે ત્યારે જ આત્મા સુખને પામે છે. અંદરની ગુણ સમૃદ્ધિ ત્યારે જ થાય જયારે માન ને મિથ્યાત્વની વિદાય થાય. સર્વજ્ઞતાની રુચિ પ્રગટે તો આત્માને જાણવાની જણાવવાની ભૂખ જાગે, નહીં તો જગતને જણાવીને પોતાને જાણકાર માનીને માન કષાયનું સુખ પોષાય છે. પાટ ઉપરથી જોરદાર પ્રવચન ચાલે, દિવસે દિવસે સભા વધતી જાય ને એનો જ માત્ર જો આનંદ થયો તો ભયંકર નુકશાન, કારણ આ બધી બહારની ધમાલ છે. અંદરમાં તો પદાર્થો ખૂલે, ક્ષયોપશમ થતો જાય ને કર્મોની નિર્જરા થાય તેવી અનુભૂતિ થાય તો પરમ સંતોષ અનુભવાય છે તો તેનો આનંદ ચોક્કસ હોય. જયારે પણ આત્મા જે પણ સંયોગમાં રહેલો હોય ત્યાં તે એક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરે. આ વ્યકિત સ્ત્રી કે પુરુષ? કયું ક્ષેત્ર? ગામ કે નગર? કાળથી રાત્રિ કે દિવસ? ભાવથી તેનો સ્વભાવ કેવો? વગેરે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સ્વરૂપની તે સભાન હોય તો તે માત્ર શેયનો જ્ઞાતા બને છે અને એમાં ડૂબે નહીં તો પોતે સમાધિમાં રહી શકશે. અનુભવી એવા ગુરુ ભગવંતો પાસે જઈને દિશા પકડશે, વર્તમાનમાં જો કે એવા ગીતાર્થ ગુરુઓનો દુષ્કાળ જરૂર છે પણ અભાવ તો નથી જ. માર્ગ મળી જ જાય. તવથી વિચારણા કરતા આત્માને જણાવવાનું છે અને તત્વથી જ્યાં વિચારણા આવી ત્યાં મોહને બ્રેક લાગી જાય. નમુત્થરં સૂત્રમાં સરણયાણ શબ્દ મૂક્યો છે. પરમાત્માનું શરણ સ્વીકારીએ તો સમાધિ તરત મળી જાય. અરિહંતનું શરણ સ્વીકારવું એટલે જ સર્વજ્ઞ તત્વનો સ્વીકાર અને એમાં જબરદસ્ત તાકાત પડેલી છે. ચારિત્ર કયારે આવે? ઉપયોગ શુદ્ધ થયો એટલે સ્વ સન્મુખ ભાવ પ્રગટ થશે ને ભાવ એ સ્વભાવ રૂપ ચારિત્રની રુચિકરાવશે. વસ્તુ જયારે ઉપાદેય લાગે ત્યારે ગ્રહણ કરવાનો ભાવ થાય. ચારિત્ર એ ઉપાદેય લાગે તો ગ્રહણ કરવાનો ભાવ થશે અને આત્મવીર્ય તે દિશામાં કાર્ય કરતું થાય અને પોતાની તમામ શકિત એમાં લગાવશે. જેમ ધન ઉપાદેય લાગે તો બધી શકિત ધન મેળવવા લગાવે છે તેમ ચારિત્ર ઉપાદેય લાગ્યું તો તે મેળવવા પ્રયત્નો કરશે. આમ છતાં ન મળી શકે તો બે જ કારણ. કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી શરીર સંયોગની પ્રતિકૂળતા કે પ્રમાદને કારણે ઉલ્લાસન ફોરવી શકે. જેને ચારિત્ર ઉપાદેય લાગશે તેને ચારિત્ર મોહનીયની સાથે વીર્યાન્તરનો 100 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy