SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદર્શન ક્યારે કળે? પ્રભુના દર્શન વગર નવકારશી ન થાય માત્ર નવકારશીનું લક્ષ હોય તો દર્શન ફળે નહીં. જિનના દર્શન કરવા જતી વખતે ઉપયોગ શુદ્ધ ક્યારે કહેવાય? પોતાના સ્વરૂપને અને સ્વભાવને જેમણે પૂર્ણ પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માના દર્શન કરવા જાઉં ને મારા મોહના પડલ હટી જાય, રાગ-દ્વેષ નિર્મુળ થઈ જાય અને મારી વીતરાગતા પ્રગટ થાય અને મને સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય એવી રુચિ થાય. આવું પ્રણિધાન ઘરેથી નીકળતી વખતે હોય તો દર્શન કરતા પ્રભુના ગુણ દર્શન થશે અર્થાત્ જિન દર્શનથી નિજ દર્શન થશે તો તે ઉપયોગ શુદ્ધ કહેવાય. તત્વ પરિચયની વાત પરમાત્માએ શા માટે પ્રથમ કહી છે? તત્ત્વના પરિચય વિના જો તું મારા દર્શન કરવા આવીશ તો તું પામવાને બદલે ડૂબીશ કારણ અનાદિનો આપણો સ્વભાવ બહારનું મેળવવાનો બની ગયો છે માટે પ્રથમ તું તત્ત્વજ્ઞાની ગુરુને પકડ, ત્યાં તત્ત્વથીતને અને મને સમજ અને પછી તું મારી પાસે આવીશ તો તારું કલ્યાણ નિશ્ચિત. શ્રાવક દેવ-ગુરુ ને જિનવાણીના વ્યવહારના નિયમવાળો જ હોય પણ હમણા તમને માત્ર પ્રભુ પૂજાથી જ સંતોષ છે. અાભ ઉપયોગમાંથી હટીને શુભમાં આવવા માટે પરમાત્માએ માત્ર તમામ વ્યવહાર આલંબનો મુક્યા નથી પરંતુ શુભમાંથી પણ છુટી અને શુદ્ધમાં જવા માટે જણાવેલ છે. ૩) ભાવનાઃ ભાવ એ કષાયજન્ય પરિણામ છે આથી શુભ અને અશુભ મુખ્ય કારણ, મિથ્યાત્વની હાજરીમાં આત્મામાં પર મેળવવાનો ગ્રહણ કરવાનો ભાવ રહે. સમ્યકત્વની હાજરીમાં પોતાના દોષોને છોડવાનો ને ગણોને પ્રગટ કરવાનો ભાવ આવે. જેને ગુણ મેળવવા છે તેને પહેલા દોષ હેય રૂપ લાગવા જોઈએ ને એ દોષોને વહેલી તકે દૂર કરવાનો ભાવ પ્રગટ કરવા માટે જ પરમાત્માની પ્રથમ આજ્ઞા મિથ્યાત્વનો પરિહાર કરવાની અને પછી સમ્યક્તને ધારણ કરવાની છે. સમકિત આવે એટલે સ્વસ્વભાવની રુચિ થાય, ચારિત્રનો પરિણામ આવે ત્યારે સ્વભાવને અનુભવવાની વાત આવે, મિથ્યાત્વની હાજરી સ્વભાવથી ઉભુખ લઈ જશે અને સમ્યકત્વની હાજરી સ્વભાવની સન્મુખ લઈ જશે. વ્યવહારથી કયારે જલદીથી સામાયિક લઉં, પૌષધ લઉંને સર્વવિરતી લઊ ને નિશ્ચયથી એવા ભાવ આવે કે “કયારે હું સમતામાં રહું?” એ વખતે કોઈ મને ગાળો આપે, ખોટું કલંક મૂકે તો પણ મારી સમતા ન જાય 98| નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy