SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ “હું જીવ દ્રવ્ય છું, રાગાદિ ભાવ મારાથી ભિન્ન છે, હું વીતરાગ છું તેથી મારાથી રાગાદિ ભાવ ન કરાય, તો આત્મા પોતાના સ્વભાવમાં સહજ આવી જાય. અનાદિકાળથી આત્માની અંદર સંસારયોગ બની ચૂક્યો છે તેમાંથી છૂટી મોક્ષયોગ રૂપ બનવાનું છે. આત્માએ પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. તેના માટે જ્ઞાની ભગવંતોએ મોક્ષ માર્ગ બતાવ્યો છે. જ્યારે આત્મા સ્વભાવ પ્રમાણે વર્તે ત્યારે આત્માનું હિત થાય. દરેક દ્રવ્યમાં સ્વરૂપને સ્વભાવ પણ હોય જ. આત્મામાં પણ આ બે વસ્તુ છે. સ્વભાવ પ્રમાણે થવાનું છે. સ્વભાવનું કાર્ય સ્વરૂપને પકડવાનું છે, દરેક સંયોગમાં ને દરેક વ્યવહારમાં આત્માને સ્વભાવ અને સ્વરૂપનું ભાન આવે તો જ આત્મા પોતાનું હિત કરી શકે. વ્યવહારમાં સ્વ પર તત્ત્વનો નિર્ણય નથી એટલે આત્મા નવા સંસારનું સર્જન કરે છે. એક સામાયિક કરો તો દેવલોકનું સુખ ભોગવવા ૯૨ ક્રોડ પલ્યોપમથી અધિક પુણ્ય બંધાય એ જાતની દેશનાની પદ્ધતિ વર્તમાનમાં ચાલુ છે, માટે નિશ્ચયનું લક્ષ જ આવતું નથી. વ્યવહાર કરીને પણ છોડવાનું લક્ષ ન હોય તો તે સંસારનું જ સર્જન કરશે. નિશ્ચયને પામવાનો છે. નિશ્ચયના લક્ષ વિનાના માત્ર વ્યવહારથી પુણ્યની પ્રાપ્તિ, પણ મોક્ષ તો કર્મના ક્ષયથી જ થાય. કર્મે આપેલું છોડી દેવાનું છે પરંતુ એના બદલે પુણ્યના ઉદયથી આપણને તો બધું જોઈએ છે તો મોક્ષ ક્યાંથી મળે? આથી જ જ્ઞાની ભગવંતોએ ઉચિત વ્યવહારની વાત મૂકી. વ્યવહાર કરવાનો છે તો કેટલો કરવાનો? જેના વિના સમાધિન જળવાય એટલોજ વ્યવહાર ઔચિત્યરૂપકરવાનો, કર્મના ઉદયરૂપ સંસાર છોડવાનો છે એ નિર્ણય થાય તો પરમાત્માનો માર્ગ જરાય કઠિન નથી. પણ આપણે સંસાર છોડવો નથી પણ સારો બનાવવો છે. આથી તસ્વરૂપ ધર્મ કઠિન છે. જીવ અને પુદ્ગલબેજદ્રવ્ય પરિણામ છે. બાકી ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યો અપરિણામી છે. જૈન દર્શન દ્રવ્યને શાશ્વત, સનાતન માને છે. અન્ય દર્શનકારો દ્રવ્યને પણ ઉત્પન્ન થાય એમ માને છે. ઉત્પન્ન થાય તે દ્રવ્ય જ ન કહેવાય. દ્રવ્ય તો શાશ્વત હોય. ઉત્પતિ પર્યાયની થાય અને જે ઉત્પન્ન થાય તેનો નાશ પણ થાય. ઈન્દ્રભૂતિને વીર પરમાત્મા સર્વજ્ઞ છે એવો સ્વીકાર થતાં તેઓ સર્વજ્ઞ બનવા માટે સમર્પિત થઈ ગયા. દીક્ષા લીધા પછી પ્રશ્નો પૂછ્યા. ૧૫૦૦ તાપસોને માત્ર મોક્ષ જ જોઈતો હતો, માટે ગૌતમ સ્વામી મોક્ષગામી છે એ જાણીને એમનું શરણું સ્વીકાર્યું અને સર્વજ્ઞ બની ગયા. ગૌતમ સ્વામીને સર્વજ્ઞ કહેવડાવું ન 96 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy