SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વને જાણવા માટે સર્વજ્ઞ તત્ત્વનું જ એક માત્ર શરણ છે. “વનિ પત્ત ધર્મ शरणं पवजामि'। જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય પરિણામી છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયદ્રવ્ય એ અપરિણામી છે. દરેક દ્રવ્યસ્વતંત્ર છે અને પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી એક જીવદ્રવ્ય જ એવું છે કે તે પુલના સંગે રહી પુદ્ગલના સ્વભાવ રૂપ તેમાં જ તન્મય બનવા દ્વારા પોતાના અરૂપી સ્વભાવને ભૂલી ગયું છે. બીજા દ્રવ્યો આપણું કાંઈ બગાડતા નથી પણ પુદ્ગલ દ્રવ્ય સાથે રહી જીવ અત્યારે જીવાજીવ સ્વભાવવાળો બની ગયો છે. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ અવ્યાબાધ અને પીડા રહિત છે. પોતે સ્વયં પીડા પામતો નથી અને બીજાની પીડામાં નિમિત્ત બનતો નથી, પણ જીવદ્રવ્ય જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્યથી નિરાળો ન થાય ત્યાં સુધી આ વાત ઘટતી નથી અર્થાત્ જીવ અધિકરણરૂપ થશે. માટે આપણે આપણા અવ્યાબાધ સ્વરૂપનું લક્ષ્યબિંદુ કેળવી પર (પુદ્ગલ) ના સ્વભાવમાંથી ખસી સ્વ સ્વભાવ અને સ્વરૂપને પામવા પુરુષાર્થ કરવાનો છે. જે સ્વ-પરના ભેદ જ્ઞાન વિના શક્ય નથી અને આ ભેદજ્ઞાન માટે અજીવ તત્ત્વનું જ્ઞાન જરૂરી છે. જિનની પણ આજ્ઞા જીવાદિતત્ત્વો જાણવાની છે. છશ્વસ્થ જીવ માટે જજિનની આજ્ઞાઃ આત્મા સ્વ આત્માના ગુણો સાથે જોડાય ત્યારે મોક્ષયોગ-તે આત્માનું હિત, અને આત્મા જ્યારે પર સાથે જોડાય છે ત્યારે તે સંસારયોગ-તે આત્માનું અહિત. દરેક દ્રવ્યોને પોતપોતાના ચોક્કસ સ્વભાવ હોય છે. સિદ્ધના તથા કેવલીના આત્મા સિવાયના જીવો પોતાના પૂર્ણ સ્વભાવ પ્રમાણે વર્તતા નથી. જીવ દ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો પોતાના સ્વભાવમાં વર્તે છે બીજામાં માથું મારતા નથી, માટે છદ્મસ્થ જીવ માટે જ સર્વજ્ઞની આજ્ઞાના પાલનનું વિધાન છે. છમસ્થ જીવ સિવાયના બાકી બધા જ દ્રવ્યો સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે અર્થાત્ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. જ્યારે જીવ દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતતો થઈ જાય ત્યારે તે જિન આજ્ઞામાં આવ્યો કહેવાય. વર્તમાન જીવ અજીવમય બની ચૂક્યો છે માટે પોતાના સ્વભાવનું ભાન નથી, માટે પરના સ્વરૂપને પોતાનું માનીને એ પ્રમાણે 90 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy