SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ધ્યાનમાં સ્થિર થવા શુભ આલંબન શા માટે? અશુભ ધ્યાનથી છૂટ્યા વિના યોગ સ્થિરતા આવે નહીં. તેથી પ્રથમ સાવદ્ય જે અસત્ અશુભ યોગોનો ત્યાગ જરૂરી, સત્ કે શુભ યોગોના આલંબન લઈ શુભ ધ્યાનમાં સ્થિર થવાથી શુદ્ધ ધ્યાનને યોગ્ય ભૂમિકાનું સર્જન થાય. પછી તેમાંથી પણ પરિણામથી છૂટી સ્વગુણ પરિણામરૂપે પરિણતિ થઈ જાય. ૪થું ગુણસ્થાનક એ ધ્યાનની બીજભૂત અવસ્થા છે. ૪થા ગુણઠાણે સાધ્યની રુચિના કારણે ૪થું ગુણ ઠાણું એ ધ્યાનની બીજભૂત અવસ્થા કહેવાય. સમક્તિના પરિણામને પામ્યા વિના શુદ્ધ ધ્યેયની રુચિ પ્રગટ ન થાય તેથી પ્રથમ સમ્યક્ત જરૂરી, તે માટે જીવાદિ નવતત્ત્વ - જીવાઈનવ પયત્વે, જો જાણઈ તસ્સ હોઈ સમi - જીવાદિ નવતત્ત્વ - જીવ અને અજીવ તત્ત્વના નિર્ણય વડે સ્વ-પરનો ભેદ પકડાય તો તે ભેદજ્ઞાન જાણકારી રૂપે થયું કહેવાય. જ્યારે સ્વ-પરનો ભેદ જાણ્યા પછી પરથી સ્વનો ભેદ કરવાની રુચિ પ્રગટે તો સ્વ પર પ્રેમ અને પર પુદ્ગલના સંગ રૂપ દેહાદિ પર ઉદાસીનભાવ આવે અને પરથી છૂટવા માટે સર્વજ્ઞ પરમાત્માએ મોક્ષમાર્ગ રૂપજિનાજ્ઞા પાલનનો ઉપાય બતાવ્યો તે ઉપાદેય રૂપે લાગે, ત્યારે રુચિ થઈ કહેવાય. જેને કકડીને તીવ્ર સુધા લાગી હોય તે સહજ આહારની શોધ કરે અને આહાર મળે એટલે તે તેને જોતો ન રહે પણ ખાવા બેસી જાય. વર્તમાનમાં મોક્ષની વાતો કહેનારા, સાંભળનારા અને જાણનારા ઘણાં હોય પરંતુ મોક્ષમાર્ગનો જે ઉપાય સર્વજ્ઞ ભગવંતે કહ્યો છે તેને જ સ્વીકારવામાં અને પાળવામાં ગડમથલ ઘણી મોટી છે. પ્રથમ તો તેમાં રુચિ જરૂરી છે. નવતત્વ જ્ઞાનનું ફળ સ્વ પરનો ભેદ. ભેદજ્ઞાનનું ફળ વિરતિ અર્થાત્ પર સંયોગથી પોતાને ભેદ કરવાની રુચિ અને તે પરસંયોગોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ. કદાચ નિકાચિત મોહનીય કર્મના ઉદયે સર્વ સંગોનો ત્યાગ ના થઈ શકે તો પરિણામથી ભેદ કરવો પડે અને તો જ ધ્યાનયોગ ઘટે. આથી પુદ્ગલના પરિણામો અને આત્માના પરિણામો જાણવા જરૂરી. દરેક દ્રવ્યો સાથે આત્માનો શો સંબંધ છે? દરેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ શું છે? અને પોતાના આત્માનો સ્વભાવ શું? આ બધા નિર્ણય માટે નવતત્ત્વમાં પરિણામી જીવ મુક્ત... ગાથા છે... જીવનો સ્વભાવ જ સર્વ શેયને જાણવાનો છે. આથી નવતત્ત્વમાં પણ પ્રથમ ગાથામાં જ નવ તતા હૂંતિ નાચવ્યા દ્વારા જિનાજ્ઞા સર્વને જાણવાની છે. વર્તમાનમાં 88 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy