SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો પ્રત્યે જ્યાં સુધી સમાન દષ્ટિ પ્રગટ ન થાય ત્યાં સુધી શુધ્ધ સામાયિક ભાવ પ્રગટ ન થાય. સિધ્ધપણું પ્રગટ થવામાં મુખ્ય કારણ સર્વ જીવોના શુધ્ધ સ્વરૂપનું સિધ્ધપણાનો બહુમાન ભાવ છે. 1 મોક્ષ કોષ પ્રગટ કરી શકે? अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमीशमी ॥६-२॥॥ (શાનસાર) જે કર્મવશ જીવોના થયેલા અવસ્થાભેદરૂપ બાહ્ય સ્વરૂપને જોતો નથી પણ દરેક આત્માનું સત્તાગત એક સ્વરૂપ જોઈ સમદષ્ટિવાળો બને તે જ જીવ પોતાનું મોક્ષ સ્વરૂપે પ્રગટ કરી શકે. અર્થાત્ કર્મક વિવિધ ભેદોવાળા જીવોને ભેદસ્વરૂપે ન જોતાં દરેકને સિધ્ધાત્મા સ્વરૂપે જોવાની સમદષ્ટિથી ક્ષાયિક સમતા યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવા વડે જીવ સર્વથા મોહથી મુક્ત બની વીતરાગ સર્વજ્ઞ બની સિધ્ધ બનશે. આચારાંગમાં પણ કહ્યું છે – વ્યાપ ૨ સન્ન નળીવાપમૂર્ય सत्ताणं अत्तसमं दरिसितं । વીર પ્રભુ મૈત્રી-કરુણાદિ ભાવ વડે સર્વ જગતના સર્વ પ્રકારના જીવોને પોતાની સમાન સમદષ્ટિથી જુએ છે. "પ્રભુ! તજ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ, નિજ સરાએ શુદ્ધ સર્વને, લેખતા હો લાલ.” (પૂદેવચંદ્રજી) અહીં એક પ્રકારે જીવો છે તે જણાવવા દ્વારા સિધ્ધનું સાધ્ય પ્રથમ બતાવ્યું. જીવે એક પ્રકારે સિધ્ધ સ્વરૂપે જ થવા જેવું છે. . સૌ જીવોને સિધ્ધ સ્વરૂપે જોવાની દષ્ટિ કેળવવી તે સિધ્ધ થવાનો ઉપાય છે. આથી પ્રથમ જિનાજ્ઞા "બે નવા ન હતબા " બધા જ જીવો સત્તાએ સિધ્ધ સ્વરૂપે સમાન હોવાથી નિશ્ચયથી કોઈપણ જીવ હણવા યોગ્ય નવતત્ત્વ // ૨૯
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy