SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર જગતકર્તા છે એમ માને છે. ન્યાય દર્શનઃ ૧૬ તત્ત્વો માને. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિધ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (૫) સાંખ્ય દર્શનઃ ૨૫ તત્ત્વો માને. મુખ્ય ત્રણ ગુણ (૧) સર્વ સુખ (૨) રજસૂર દુઃખ (૩) તમન્ = મોહ. પ્રકૃતિ + પુરુષ = સૃષ્ટિ. પ્રકૃતિમાંથી બુધ્ધિ, અહંકાર, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માવ્યા. તેમાંથી પાંચ ભૂત ઉત્પન્ન થાય. (રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી, શબ્દથી આકાશ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય.) () બૌદ્ધ દર્શનઃ સર્વ ક્ષણિક માને. સિધ્ધસેન દિવાકર સૂરિએ જૈનદર્શનને ષડ્રદર્શનના સમૂહરૂપે કહ્યો છે. "પદર્શન જિન અંગ ભણીએ." જિનના અંગરૂપ ષડ્રદર્શન છે. તેમાં નાસ્તિક દર્શનને પણ કુક્ષિના સ્થાને સમાવ્યો છે, કારણ નાસ્તિક દર્શન આંશિક સત્યને અર્થાત્ જે પ્રત્યક્ષમાં દેખાય તેને માને = સ્વીકારે છે. આમજિનદર્શન સંપૂર્ણ સત્યતત્ત્વરૂપ (સ્યાદ્વાદરૂપ) છે. અર્થાત્ જગતના સર્વ સત્યના પૂર્ણ સ્વીકાર અને આંશિક પણ અસત્યના પરિહાર રૂપ છે. 3 નવ તત્વોની સામાન્ય વ્યાખ્યા (૧) જીવઃ ચેતના તાળો નવઃ ચેતના એટલે જ્ઞાન-દર્શનનું સ્કૂરણ થવું. અનુભવ થવો. દા.ત. સખત ગરમીમાં ઠંડો પવન શરીરને સ્પર્શે તો ઠંડા પવનનું જ્ઞાન થયું તેથી ઠંડા પવનને આપણે સુખરૂપ માનીએ છીએ. થોડીવારમાં વાતાવરણ ફરી જાય અને ગરમ પવન આવે તો ગરમ પવનનું જ્ઞાન થાય. પણ આપણે તેને દુઃખ રૂ૫ માનીએ છીએ. આમ જ્ઞાનમાં મોહ ભળતાં તે સુખ કે દુઃખરૂપ બને છે. પણ આત્માનો સ્વભાવ શયના માત્ર જ્ઞાતા બનવાનો છે = માત્ર વસ્તુનું જ્ઞાન કરવાનો છે તે ભૂલી તેમાં મોહ ભેળવી તેને સુખ દુઃખ માની સુખી-દુઃખી થઈ સમતા નવતત્ત્વ || રર
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy