SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્તાનમજ્ઞાચ ન થાવાત્મવાસ્થતિ : જ્યાં સુધી સ્વ આત્મતત્ત્વનો પરમાત્મ તત્ત્વરૂપે નિર્ણય થતો નથી ત્યાં સુધી આત્મામાં સ્થિરતા થતી નથી. કારણ આત્મા અને દેહનો સ્પષ્ટ પ્રતીતિરૂપે ભેદન સમજાય ત્યાં સુધી આત્મા દેહથી દેહાતીતદશામાં રહેવામાં મૂંઝાઈ જાય. આથી નવતત્ત્વો વડે ભેદ જ્ઞાન કરવું જરૂરી છે. જાણવું એ જીવનો સ્વભાવ છે અને સ્વને નહીં જાણે તો પરને જાણીને પરમાં પામર થવાનો આથી પરમાત્માએ સાધનાકાળ દરમ્યાન સ્વને સંપૂર્ણ જાણવાની જ સાધના કરી. નો પf ના તો સબં ગાપટ્ટા પરમાત્મા પોતાના આત્માને સર્વજ્ઞએ કહ્યા પ્રમાણે પૂર્ણ રીતે જાણીને સર્વને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા બન્યા. જે એકને દ્રવ્ય-ગુણ પર્યાયથી પૂર્ણ જાણે છે તે સર્વને પણ સમાન દષ્ટિથી જાણી શકે. એ ન્યાયે પરમાત્માને સર્વ જીવરાશિ પર સમદષ્ટિ પ્રગટ થઈ તેના પ્રભાવે જીવ–અજીવ પર મોહ દષ્ટિ સંપૂર્ણ નાશ પામી તેથી વીતરાગ બન્યા પછી સર્વજ્ઞ બન્યાં, એટલે સંપૂર્ણ જગતના સત્યનું દર્શન થયું અને ભવ્ય જીવોના કલ્યાણ માટે જેટલો જરૂરી લાગ્યો તેટલો સત્ય તત્ત્વનો પ્રકાશ કર્યો. 1 તત્વ એટલે શું? તત્વ - તશે ભાવ-તત્ત્વમ્ | અર્થાત્ સર્વશની દષ્ટિએ વસ્તુ = પદાર્થનું મૂળ સાચું કલ્પના રહિત યથાર્થ સ્વરૂપ. ગૌતમ સ્વામીને પ્રશ્ન મહાવીર પ્રભુનો ઉત્તર: મયુર્વ જિં તત્ત ? ૩પનેરૂ વા - વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. જયવં વિ તd ? વિરામેડ઼ વી – વસ્તુ પર્યાય રૂપે નાશ પામે છે. મવિ વિ તત્ત ? યુવેરૂ વા - વસ્તુ મૂળ સ્વરૂપે સત્તાએ સદા તેની વિદ્યમાનતા હોય છે. અર્થાત્ દ્રવ્ય-ગુણ-પર્યાય છે. દ્રવ્ય મૂળ તત્ત્વ છે. તેની વિદ્યમાનતા સદા (શાશ્વત) હોય. નવતત્વ || ૧૮
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy