SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ | રસનેનિય : "સર્વ આચારમય પ્રવચને ભાખ્યો અનુભવ યોગ તેથી મુનિ વમે મોહને રતિ અરતિ શોક. (પૂ. મહો. યશોવિજયજી) શાસ્ત્રોમાં આત્માનાં પાંચ આચાર શા માટે કહ્યા છે? આત્માના ગુણો પાંચ છે. પાંચે ગુણોને આત્માએ વ્યવહારથી પચાચારના પાલન કરવા વડે નિશ્ચયથી આત્માના ગુણનો અનુભવ કરવાનો છે અને માટે મુનિઓ સતત મોહને વમી ગુણનો અનુભવ કરે જ્યારે "સયલ સંસારી ઈજયરામી, મુનીગણ આતમરામી રે (૫. આનંદઘનજી) સંસારી મોટા ભાગના આત્માઓ ગુણોને ગમી ઈન્દ્રિયના વિષયોનો અનુભવ કરતા હોય છે. રસનેન્દ્રિયના વિષયો (સ્વાદરૂપે) પાંચ છે અને સચિતઅચિત કેમિશ્રમાં (પુદ્ગલ દ્રવ્યમાં રહેલા હોય છે. ખાટો મીઠો તીખો કડવો તુરો તે પાંચ સ્વાદના જ્ઞાન કરવા માટે રસનેન્દ્રિયની સહાય જરૂર પડે. રસનેન્દ્રિયના ત્રણ કાર્ય–રસનેન્દ્રિય સ્પર્શેન્દ્રિય સહિત છે. કારણ આખા શરીરમાં ફેલાયેલી છે. તેની સ્વાદની સાથે સ્પર્શનું પણ જ્ઞાન કરે છે. આથી પુદગલમાં રહેલા સ્વાદને પારખવાનું અને વાણી પ્રગટ કરવામાં પણ સહાય કરવાનું કાર્ય કરે છે. નિશ્ચયથી–તપ એ આત્માના ગુણ ભોગવવા માટે કરવાનો છે. આ નિશ્ચયનો ઉપયોગ ન હોય તો વ્યવહારતા પણ નિશ્ચયના કારણને બદલે કર્મબંધમાં કારણ બને. ૧૨ પર્વ તીથી છે. શ્રાવક ચોવિહાર ઉપવાસપૂર્વક પૌષધ કરે ! પૌષધમાં આઠ પ્રહર–પ્રમાદ કરવાનો છે. મોહને નમન કરવાનું છે. પણ ઉપયોગ ન હોય તો પૌષધ કર્યાનો સંતોષ–બાહ્ય જીવ વિરાધના– આરંભ સમારંભના પાપ પ્રવૃત્તિથી બચવાનો સંતોષ જિનાજ્ઞા પાળવાનો સંતોષ હોય છે. પોતાની જાતને આરાધક માનીને ફરતો હોય પણ સાથે સ્વરૂપનો ઉપયોગ જરૂરી છે. નવતત્વ // ૧૯૧
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy