SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિયનો આકાર બાહરથી સર્વ પ્રાણીઓનો ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે ઉંદરના કાનનો આકાર, મનુષ્યના કાનનો આકાર, અને હાથીના કાનનો આકાર જુદો જુદો હોય છે. જ્યારે અત્યંતર કાનનો અંદરનો આકાર સૌનો સમાન હોય. 2 અત્યંતર નિવૃત્તિ ઈજિયના આકારઃ 0 સ્પર્શન્દ્રિયઃ બાહ્ય, અભ્યતર અનિયમિત આકારવાળી સમગ્ર દેહ પ્રમાણ શરીરમાં ફેલાયેલી છે તેથી અંદર પણ શીતલ જલાદિનો અનુભવ થાય. 0 રસનેન્દ્રિયઃ જીભ જે દેખાય છે તે બહારનો આકાર છે તેની અંદર અસ્ત્રા જેવી બે થી નવ આગળ લાંબી અત્યંતર ઈન્દ્રિય રહેલી હોય છે. - ધાણેન્દ્રિયઃ જે બહારથી નાકદેખાય છે તે નાકની અંદર અતિમુક્તલતાના ફૂલના આકારે અભ્યત્તર ઈન્દ્રિય રહેલી છે. 0 ચક્ષુરક્રિયઃ આખના જે બે ડોળા દેખાય છે તે બાહેન્દ્રિય અને તેની અંદર મસુરના દાણા (અર્ધચંદ્રાકાર) રૂપે અભ્યતરેન્દ્રિય રહેલી છે. 0 શ્રોતેન્દ્રિય: બહારથી દેખાતા કાન બાહોન્દ્રિય છે તેની અંદર ચંપાના પુષ્પ (કંદમપુષ્પ)ના આકારે અત્યંતરેન્દ્રિય રહેલી છે. આ અભ્યતર નિવૃત્તિ ઈન્દ્રિયની અંદર બીજી ઉપકરણ ઈન્દ્રિય જે સૂક્ષ્મ પુગલની બનેલી છે તેની વિષય ગ્રહણ શક્તિ વિશેષ છે અને તે અસંખ્ય સૂક્ષ્મપુલોની બનેલી અંગુલના અસંખ્યાત પ્રમાણરૂપી છે. વિજ્ઞાનના મતે નાકની પાછળ ચંદ્રાકાર ગોળ સૂક્મદ્રિય રૂપે આઠ લાખ સૂક્ષ્મકોષની બનેલી જૂદી જૂદી પતંગ, રકાબી, સળિયાના આકાર રૂપી છે. આ કોષો વર્તુળાકારે ગોઠવાઈને તરત મગજને સંદેશો આવે છે. દ્રવ્યઢિયમાં સૌથી મહત્વની ઉપકરણ ઈન્દ્રિય છે. જો અત્યંતર નિવૃતિની અંદર રહેલી બીજી આ ઉપકરણ ઈન્દ્રિય હણાઈ જાય તો બાહ્ય અભ્યતર ઈન્દ્રિય હોવા છતાં વિષય–ગ્રહણ–બોધ કરવાનું નવતત્ત્વ // ૧૭૦
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy