SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ "આચારમય પ્રવચને ભાખ્યો અનુભવયોગ તેથી મુનિ વમે અરતિ રતિ શોક. (પૂ. મહો. યશોવિજયજી મ.સા.) જિનશાસનમાં સમગ્ર પંચાચારરૂપ આચાર (ચારિત્ર) આત્માનુભૂતિ માટે છે અને તે આત્માનુભૂતિ માટે મોહનો ત્યાગ મુનિને જરૂરી. આત્માનુભવ માટે ધ્યાનયોગ જરૂરી તે માટે સાધ્યરૂપ પોતાના શુધ્ધ સ્વભાવ અને સ્વરૂપનો ઉપયોગ જરૂરી, તેના વિના કોઈપણ યોગ-આચાર ધર્મયોગ બનતો નથી. ઉપયોગની શુધ્ધિથી આત્મશુધ્ધિની શરૂઆત થાય. . સંસારયાત્રાનો આરંભ કઈ રીતે થાય? નવતત્ત્વ પ્રકરણના રચયિતા પૂ. શ્રી વાદિદેવસૂરીશ્વર 'ના ચ દસ ચેવ.' આ પાંચમી ગાથામાં આત્માના પાંચ ગુણરૂપ સ્વભાવને કહી હવે આત્માના સ્વરૂપની વાત જણાવે છે. આત્માનું શુધ્ધ સ્વરૂપ કઈ રીતે આવરાયું અને અઘાતિકર્મના ઉદયે આત્માની કેવી અવસ્થા થઈ તે બતાવે છે. ગાથા – ૬ "આહાર સરીરિદિય, પજજરી આપાણ-ભાસ-મા ચઉ પંચ પંચ છમ્પિય, ઈગ–વિગલા–સનિ–સની દો અર્થ: આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન આ છ પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંશી, પચિક્રિય અને સંશી પચિન્દ્રિયને ક્રમશઃ ચાર-પાંચ-પાંચ અને છ પર્યાપ્તિઓ હોય છે. નામકર્મના ઉદયે આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પુદ્ગલરૂપ બંધનો આત્માને પ્રાપ્ત થયા. . આત્માની સંસારયાત્રાની સફર નવા આયુષ્યકર્મના ઉદયથી શરૂ થાય છે. અર્થાત્ વર્તમાન ઉદયગત આયુષ્યના દળિયાની પૂર્ણાહૂતિ થાય એટલે એક સંસાર પૂર્ણ થાય અને તે ભવમાં બાંધેલા આયુષ્યકર્મનો ઉદય થાય તેથી બીજા નવતત્વ // ૧૨૯
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy