SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સવાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવ-તરત જ ચવીને અહીં જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈફવાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર મરુદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ જેવાતે હતો એ સમયેમધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રને વેગ થતાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. ૧૯૨ અને કૌશલિક અહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી મહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ “માતા સ્વરૂ જુએ છે ત્યા સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: “ગજ, વૃષભ” ઈત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વમમાં મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થંકરની માતાઓ પ્રથમ સ્વમમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વમોના ફળ બતાવનારા સ્વપ્રપાઠકો નથી એટલે એ સ્વમોના ફળને નાભિ કુલકર પિતે જ કહે છે. . ૧૯૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચિત્ર માસનો ૧૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે ચિત્ર ૧૦ દિ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી ચાવતું આષાઢા નક્ષત્રને જગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કોશલિક અરહત અષભ નામના પુત્રને જનમ આપ્યો. અહીં કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીક્ત કહેવી, ચાવત્ દેવ અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં જેલખાનાં ખાલી કરાવી નાખવાં,” “તેલ માપ વધારી દેવાં” દાણ લેવું છોડી દેવું” ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા “ચૂપ ઊંચા કરાવ્યા એટલે યૂપે લેવરાવી લીધા એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. ૧૯૪ કૌશલિક અરહત અષભ, તેમનાં પાંચ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; ૧ “ાષભ” એ પ્રમાણે, ૨ ‘પ્રથમ રાજા” એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિાચર’ એ પ્રમાણે, ૪ “પ્રથમ જિન” એ પ્રમાણે, ૫ અથવા “પ્રથમ તીર્થકર એ પ્રમાણે. ૧૯૫ કેશલિક અરહત ઋષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણેથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy