SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાના પરિશ્રમ કરેલ છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઇ આકસ્મિક ભય ઊભા થતાં કે ભયાનક દૂર સિંહ વગેરે જંગલી જનાવરાના ભય આવતાં એ તદ્દન અચલ રહેનારા છે—જરાપણ પેાતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહે એટલે ભૂખ તરશ વગેરેનાં સંકટ આવતાં તથા ઉપસર્ગો એટલે ખીજાએ તરફથી ગમે તેવાં શારીરિક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહાને અને ઉપસર્ગાને ક્ષમાવડે શાંતચિત્તે ખરાખર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શે!ક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે તે સદ્ગુણેાના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવાએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે. ૧૦૫ શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેાત્રના હતા, તેમનાં ત્રણ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે, સિદ્ધાર્થ, સેöસ-શ્રેયાંસ અને જસઁસ-યશસ્વી. ૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગાત્રનાં હતાં, તેમનાં ત્રણ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે, ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી. ૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃભ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મેટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, મહેનનું નામ સુહંસા હતું અને તેમનાં પત્નીનુ નામ યશેાદા હતું અને એમનું ગેાત્ર કાહિત્ય હતું. ૧૦૮ શ્રમણુ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગાત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે; તે જેમકે, અણ્ણાજા અથવા પ્રિયદર્શના.. ૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી‘દીકરીનાં દીકરી કાશ્યપગેાત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; શેષવતી અથવા જસ્સવતી યશસ્વતી. ૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલીહતી, એ પેાતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા સાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હુંતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હતા એટલે એમના ક્રૂડ ખીજાઓના દેહ કરતાં ખાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળા હતા, વિદેહિન્ન એટલે વિદેહદિના—ત્રિશલા માતા-ના તનય હતા, વિદેહજચ્ચ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકામળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહંસ્થાવાસ કરીને પેાતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાનાં વડિલ મેટા પુરૂષોની અનુજ્ઞા મેળવીને પેાતાની પ્રતિજ્ઞા. પૂરી થતાં છતાં ફરી પણ લેાકાંતિક જીતકલ્પી દેવાએ તે પ્રકારની ઈષ્ટ, મનેાહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી, *
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy