SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કહ૫સૂત્ર હાથમાં કમલનું ફલ છે, તથા નીચેના બંને હાથ વરદમુદ્રાએ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં સૌધર્મેન્દ્ર હસ્તિસ્કંધ પર બેસીને હાથમાં કલશ પકડીને પ્રભુ સન્મુખ જતે હોય એમ દેખાય છે. ત્રીજા પ્રસંગમાં તપાવેલા સુવર્ણ જેવા વર્ણવાળી ચાર હાથવાળી દેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં જ છે, તથા નીચેના બંને હાથ વરદ મુદ્રાઓ છે. પાનાની ઉપર અને નીચે તથા બંને બાજુના હાંસિયાના પ્રસંગે ચિત્રપ્રસંગને અનુલક્ષીને રજૂ કરવામાં નથી આવ્યા, પરંતુ આ પ્રતના દરેકે દરેક પાનામાં આવી જ રીતે જુદાં જુદાં સુશોભને ચીતરીને આ સંપૂર્ણ પ્રતને શણગારવામાં આવી છે. આવાં સુંદર સુશોભનવાળી બીજી હસ્તપ્રત ભારતભરના જેનભંડારોમાં બહુ જ પરિમિત સંખ્યામાં છે. આ આખી યે પ્રતા સેનાની શાહીથી લખેલી છે. Plate II ચિત્ર ૨: જૈન સાધ્વીઓ. પાટણના સં. પા. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કપસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અત્રે ચિત્ર ૨-૩ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. હવે પછીનાં ચિત્રો ૪-૧૧ની માફક આ ચિત્રો પણ પ્રથમ “કાલકકથા નામના ઇંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે. " મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓના ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કે “ચંદરવાની નીચે બે શ્વેતાંબર સાધુઓ ઉપદેશ આપતા બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવર્સિકા-મુહપત્તિ (ચંક ન ઊડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણા હાથમાં કુલ છે. જેમ જમણે ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલે-ઉઘાડો રાખવામાં આવે છે તેને બદલે સારું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.” વાસ્તવિકરીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુએનું નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે. તેઓ જે ચિત્રનં. પ ને પુરા આપે છે તે ચિત્ર તે સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારોએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રોમાં એક ખભે ખુલે અને સાધ્વીઓનાં ચિત્રોમાં સારું કે શરીર વસ્ત્રથી આચ્છાદિત રાખવાનો નિયમ પરંપરાએ સાચવ્યો છે. બીજું મિ. બ્રાઉન જણાવે છે કે બંનેના જમણા હાથમાં ફૂલ છે તે તેની માન્યતા તે જૈન સાધુ-સાધ્વીઓના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાધ્વીઓને સચિત દ્રવ્યને ભૂલથી–અજાણ્ય પણ અડકી જવાય તો તેને માટે “નિરીકગૂળિ “સાધુસમાવારી વગેરે પ્રાયશ્ચિત્તગ્રન્થોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ સચિત દ્રવ્ય-વસ્તુને અડકી જવાય તે પ્રાયશ્ચિત્ત આવે તો પછી વ્યાખ્યાન-ઉપદેશ દેવાના સમયે હાથમાં ફૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? બીજું ખરી રીતે ૧ જુએ.'The story of Kalak' pp. 120 and opp. Fig. 7, 8 on plate no. 3. ૨ જુઓ-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has in his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of leaving the right shoulder bare as usually done (cf. fig. 5.).' -The story of Kalak.' PPM 20
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy