SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ઈકિવંશનાં કે હરિરસનાં કારમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશ૮ કુલ અને વિશુદ્ધવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. ૨૨ વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સપિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગાત્ર કમને ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભગવાઈ ગયેલું ન હોય અને ભગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંત વગેરેને એ કર્મને ઉદય આવેલું હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અત્યકુલોમાં કે હલકાં કુલેમાં કે તુચ્છકુલમાં કે કંજુસનાં કુલોમાં કે દળદ્દરિયા કુલામાં કે ભિખારીનાં કુલમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કલમાં તેઓ કદી જનમેલા નથી, જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. ૨૩ અને આ શ્રમણ ભગવંત મહાવીર જૈબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગેત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૪ તે થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર વરાજ શકોના એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકોમાંથી કે અધમકુલેમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલેમાંથી કે હળદરિયાં કુલેમાંથી કે : ભીખ મંગાનાં કુલેમાંથી ચાવત્ માહણનાં કુલેમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલેમાં કે ભગવંશનાં કુલમાં કે રાજન્યવંશનાં કુલેમાં કે જ્ઞાતવંશનાં કુલેમાં કે ક્ષત્રિય વંશનાં કુલમાં કે ઈક્વાકુવંશનાં કુલમાં કે હરિવંશનાં કુલ માં કે કઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલેમાં ફેરવી નાખવા ઘટે. ૨૫ તો દે દેવાનુપ્રિય! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંઠા માહણીની કખમાંથી ખસેડીને ક્ષત્રિચકડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિને વંશજ અને કાસ્પપગોત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વસિષ્ઠગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણ છે તેની ખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તત જ પાછી આપી દે. ૨૯ ત્યારપછી પાયદળ સેનાને સેનાપતિ તે હરિણેગમેલી દેવ, દેવેંદ્ર દેવરાજ શકની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયે અને યાવત્ તેનું હૃદય રાજી થવાને
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy