SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન સ્થવિર ભગવંતે તે સમયની મર્યાલને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ–અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત્ ભગવાન શ્રીકાલકાર્ય સમક્ષ જે પ્રકારનો પ્રસંગે ઉપસ્થિત થયો તે જ પ્રકારને તેથી ઉલટો પ્રસંગ કેઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂત્રાણાને અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને સંપૂર્ણરીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ.' આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિશે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી. કહપસૂત્રમાં પાઠભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠો સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાઠભેદને સમાવેશ ઉપર જણાવેલ પાઇટિપ્પણીમાં મોટે ભાગે થતું નથી. એટલે તે પાઠભેદને તારવીને આ નીચે આપવામાં આવે છે. ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદો સૂત્રો मुदित सूत्रपाठ चूर्णीपाठ ३ पुव्वरत्तावरत्तकालसमयसि पुव्वरत्तावरत्तंसि -સુનવ૬૧ * રિં સરું માવઠું ગિર पटेहि णिउणेहिं जिय. ૬૨ ૩ો િચ (નથી). બળેજાબનાયા આદિ સામાસિક વાક્ય અસ્તવ્યસ્ત पित्तिज्जे पेत्तेज्जए १२२ अंतरावास अंतरवास १२३ अंतगडे (નથી) १२६-२७ सूत्र પૂર્વોપર છે. २३२ पज्जोसवियाणं पज्जोसविए ૨૮૧ अणट्राबंधिस्स अदाणबंधिस्स
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy