SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્રકલ્પસૂત્ર કેળનાં પાંદડા બાંધેલાં છે.ચારીની ઉપરના ભાગમાં છત્ર તથા તેરંણુ બાંધેલું છે. પ્રભુ સંસારાવસ્થામાં એક સ્ત્રી સાથે હસ્તમેળાપ કરતા ચિત્રમાં દેખાય છે. બંનેની મધ્યમાં નીચે એક બ્રાહ્મણ બેલે છે અને તે અગ્નિમાં ઘીની આહુતિ આપતે દેખાય છે. સૌથી નીચે બે પુરુષો તથા બે ઓ ઊભેલાં છે. સૌથી આગળના પ્રથમ પુજના જમણા હાથમાં કુલ છે અને પાછળના બીજા પુરુષને જમણો હાથ ઊંચો કરેલે દેખાય છે; પાછળની બંને સ્ત્રીઓ પૈકીની પ્રથમ સ્ત્રીના જમણા હાથમાં સળગતે રામણદી અને બીજી સ્ત્રીના ઊંચા કરેલા જમણા હાથમાં શ્રીફળ દેખાય છે. આ સ્ત્રી-પુરુષ આપણે ઉપર જણાવી ગયા તે પ્રમાણે મનુષ્યો નથી પણ દે છે, તે દર્શાવવા ચિત્રકારે દરેકના ચહેરાની આજુબાજુ ફરતું દિવ્ય તેજ બતાવવા માટે ગેળ આભામંડળે સફેદ રંગથી ચીતરેલાં છે. આ ચિત્ર પંદરમા સિકાની લગ્ન-વ્યવસ્થાને આબેહૂબ ખ્યાલ આપે છે. - ચિત્ર ર૪૫ શ્રી ત્રાષભદેવને રાજ્યાભિષેક. ઉપરના જ પાનાની ડાબી બાજુને ચિત્રપ્રસંગ. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૬૪ના નીચેના પ્રસંગનું આ જ ચિત્રને લગતું વર્ણન. આ ચિત્રમાં સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને પ્રભુ રાજગાદી ઉપર જમણા હાથમાં તલવાર પકડીને બેઠેલા છે, અને પ્રભુની સામે ડાબા હાથમાં પકડેલા કુમકુમનાં રત્નજડિત સુવર્ણપાત્રમાંથી લીધેલા કુમકુમ વડે જમણા હાથના અંગૂઠાથી પ્રભુના ભાજસ્થલમાં રાજ્યાભિષેકનું તિલક કરતો ઈન્દ્ર ઊભેલે છે. ઈન્દ્રના ચાર હાથ પકીને નીચે જમણો હાથ વરદ મદ્રાએ રાખેલે છે અને ઊંચા કરેલા ચોથા-ડાબા હાથમાં અંકુશ પકડેલે છે. બંનેના મસ્તક ઉપર રાજચિ તરીકે છત્ર છે અને બંનેના ચહેરાને ફરતાં દિવ્ય તેજનાં દ્યોતક આભામંડળે છે. - Plate MIX. . ! :: .. ચિત્ર ર૪ઃ શ્રીમારૂદેવાની મુકિની કાંતિવિ સીમા છ ઉપરથી. ભરત ચક્રવતિએ . મારૂદેવા માતાને પણ પોતાની સાથલીયા અને તેમને હાથી ઉપર ઍસાડવાં. સમવસરણની નજીક આવતાં જ ભારતે માતા મારૂદેવાને કહ્યું કે, માત્તાછfઅપિના પુત્રની અદ્ધિ સામે એકવાર દષ્ટિ તે કરે!” ભરતના આનંદેર સાંભળી માફવા માતાના અંગેઅંગે રોમાંચિત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ ધોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રુ તેમનાં પઠળ પણ જોવાઈ ગયાં. પ્રભુની છત્રચામર વગેરે અદ્ધિ જોઈ તે મનમાં વિચાર કરવા લાગ્યાં કે, “ખરેખર! મોહથી વિફળ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે: પિતાને સ્વાર્થ હોય ત્યાં સુધી જ સહ નેહ બતાવે છે. આ ઋષભના દુઃખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઈ ગઈ. છતાં સુરઅસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ જોગવતા આ ષભે મને સુખ સમાચારને સંદેશો પણ ન મોકલઆવા સુખમાં માતા ની યાદ આવે? એવા સ્વાર્થી સ્નેહને હજારોવાર ધિક્કાર છે !” એવી ભાવના ભાવતભાવતાં મારૂ માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને તે જ ક્ષણે આયુષ્યને ક્ષય થવાથી મુક્તિ પામ્યાં. ' ચિત્રમાં હાથી ઉપર આગળ બેઠેલાં શ્રીમારૂદેવા માતા છે, જેમના ડાબા હાથમાં શ્રીફળ છે; પાછળ બેઠેલા ચક્રવતિ ભરત છે, તેમના માથા ઉપર છત્ર છે. હાથીની આગળના ભાગમાં જમણા ખભા ઉપર તલવાર તથા ડાબા હાથમાં ઢાલ રાખીને ચાલતો પદાતિ-સનિક છે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy