SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર બાજુ પદ્યમાં છે, અને આ પ્રત લખાવનાર તથા ચીતરનાર ચિત્રકારનું નામ પાના ૧૨૧ની પાછળની બાજુ ચાર લીટીમાં ગદ્યમાં છે, જે આ પ્રમાણે છે – - "श्री हौंबड ज्ञातीय सं० झांझण सं० वर्द्धमान सं० वीरपाल गुणराज एतेः श्री तपापक्षे श्री विजयतिलकसूरींद्र शिष्य भ. श्री जयसुंदरसूरिवरणामुपदेशेन सुवर्णाक्षरे। श्री कल्पलेखितः॥ प्राग्वाट् . ज्ञातीय मंत्रि कूपा सुत सेोमाकेनालेख्य चित्र० सारंगेनचित्रिता श्रीः॥ હુંબડ જ્ઞાતીવાળા સંઘવી ઝાંઝણ, સંઘવી વિદ્ધમાન, સંઘવી વીરપાલ [તથા] ગુણરાજ વગેરે[શ્રેષ્ઠીઓએ તપાગચ્છીય શ્રી વિજયતિલકસૂરીશ્વરજીના શિષ્ય ભટ્ટારક શ્રી જયસુંદરસૂરીશ્વરજીના ઉપદેશથી સેનાના અક્ષરોથી [આ કલ્પસૂત્ર લખાવ્યું. અને તે પિરવાડ જ્ઞાતીવાળા મંત્રિ પાના પુત્ર સેમે લખ્યું અને સારંગ નામના ચિત્રકારે ચીતર્યું.” Plate LI ચિત્ર ૨૨૦ થી રર૩ઃ સુંદર સુશોભને. નવાબ ની પ્રતના હાંસિયાઓ, Plate LII ચિત્ર ૨૨૪: નિશાલ ગણું. ડહેલા ૨ની પ્રતના પાના ૪૩ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના આમલકી કીડાના ચિત્રથી થાય છે. (૧) એક વખતે સૌધર્મેન્દ્ર પિતાની સભામાં મહાવીરના પૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કેઃ “હે દે! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવો બીજે કઈ પ્રરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દેવે પણ તેમને બિવરાવવાને અસમર્થ છે.” આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું, તે જ્યાં કુમારો ક્રીડા કરતા હતા ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રર આકૃતિવાળા અને વિસ્તૃત , કણાવાળા મોટા સર્ષનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્ષ જોઈ ભયભીત બનેલા બધા કુમાર રમતગમત પડતી મૂકી નાસી છૂટયા; પરંતુ મહાપરાક્રમી | ધર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણ ભય પામ્યા વિના પતે ત્યાં તેની પાસે જઈ, સપને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂ૨ પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. - (૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારેષધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયે. તેણે કહ્યું: “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો. શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બિનરાવવાને પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઊંચું પિતાનું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજા જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંક* ચાઈ ગયે. પ્રભુનું પરાક્રમ તથા વૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઈન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy