SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૩૩૮ ] ગુપ્તવંશીય સમ્રાટ જૈનેતરધર્મી હતા તેથી તેમને અનુજીવી પણ જૈનેતર હતા એમ તેા આચાર્યજીનું કહેવું નથી ને? તેમ હોય તો જણાવવાનું કે, લેખના પ્રારંભના “સિદ્ધમ્” શબ્દ જ ખાત્રી આપે છે કે તેદાન આપનાર તેમજ દાન આપ્યાનું સ્થાન-અને જૈનધર્મી છે. આ પ્રમાણે તેમણે પૂછેલ પ્રશ્નને ખુલાસા ચયા. [નોંધ–અત્ર એક ખીજી સ્થિતિ ખાસ ધ્યાન ખેંચવા લાયક સમજું છું; તેથી જરાક ઇસારા કરવા ઇચ્છા થઇ છે. સારૂં થયું છે કે ઉપર દર્શાવેલ હકીકત સર કનિંગહામ જેવા વિદ્વાનના નામથી મેં જાહેર કરી છે. પરંતુ તેવા પ્રતિષ્ઠિત પુરૂષનું કે અન્ય કોઇ વિદ્રા નનું નામ જોડાયલું ન હેાત, અને કેવળ મારા નામે જ મેં ઉપરાક્ત અભિપ્રાય રજુ કર્યો હૈાત તે। આચાર્યજી મહારાજે જે શબ્દોમાં કામ લીધું છે, તે જ શબ્દો શું તેમની કલમમાંથી નીકળ્યા હાત કે? પ્રશ્ન (૧૦):-બાહુબળી–ગામટેશ્વરની મૂર્તિ. આ સંબંધમાં તેમને ત્રણેક વાંધા છે (૧) મૂર્તિનું પુરુષલિંગ મેં આચ્છાદિત શામાટે કર્યું ? (૨) સર્વ કોઇ તે મૂર્તિને બાહુબળીજીની માને છે જ્યારે હું તેને ભદ્રબાહુસ્વામીની કહી રહ્યો છું (૩) અને તેને સમય તેઓશ્રી ઈ. સ. ના દશમા સૈકાના કહે છે જ્યારે હું તેને પ્રિયદર્શિન સમ્રાટ ઘડાયેલી અને તેથી ઈ. સ. પૂ. ત્રીજી સદીની કહું છું. [ પ્રાચીન ખુલાસા પુ. ૩ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૩ માં આપેલ છે કે, “ગામટની મૂર્તિ મૂળે દિગંબર અવસ્થામાં છે, તે રજુ કરવા માટે બ્લેક બનાવનારને આપતાં તેમણે સૂચના કરી કે, પુસ્તક તા સ્ત્રીવર્ગના હાથમાં પણ જવાનું છે તેા સભ્યતાની ખાતર પુરૂષલિંગનું આચ્છાદન કરાયતો સારૂં. તે વિચાર સુસંગત લગતાં અન્ય ચિન્હા જેમને તેમ રહેવા દઇ બ્લૉક બનાવી છાપી કાઢયા છે. છતાં એક વિદ્વાનને તે અક્ષમ્ય લાગવાથી તેમના ઉપર વ્યક્તિગત મે પત્ર લખીને તેમને સંતાષ આપ્યા છે.” ધારા કે તેમણે કલ્પના કરી છે તેવા વિપર્યાસ કરવાને જ મારા ઈરાદા હાત તા શું બીજી બધી રીતે તે મૂર્તિનું સ્વરૂપ ફેરવી ન નાંખત ! અથવા તા તેજ મૂર્તિ પાછી નં. ૩૪ ની આકૃતિ દિગંબર તરીકે રજુ કરી છે તે પ્રમાણે રજુ કરત કે ? તેમજ ઉપર લખ્યા પ્રમાણે તે વિદ્વાનને પત્ર લખત પણ ખરા ? આ ઉપરથી જણાશે કે શુદ્ધ હેતુથી જ પગલું ભરાયું છે. (૨) તેમણે મૂર્તિ ખાહુબળાની હવાનું જણાવ્યું છે અને માટા ભાગની માન્યતા પણુ તેમજ છે. તેમણે પુ. ૨, રૃ, ૩૭૮માં લખેલ મારા કા ઉતાર્યા છે તે તે મૂર્તિ પ્રિયદર્શિને બનાવ્યાનું હું માની રહ્યો છું તેમ પણ જાણે છે. તેમ તે મૂર્તિને ચંદ્રગુપ્ત સમ્રાટના જીવન સાથે સંબંધ ધરાવે છે એમ પણ જાણે છે છતાં લખી રહ્યા છે કે “એ માટે એક પણ પુરાવા તેમની પાસે હૈયાત નથી.” તેઓશ્રીને વિનંતિ કે તેમણે મારૂં લખેલું આ બન્ને સમ્રાટે નું જીવનચિરત્ર મહેરબાની કરી વાંચી જવું. વળી પેાતાની માન્યતા પુરવાર કરવાને પૃ. ૨૨૯ ઉપર લખે છે કે “એ મૂર્તિ ઉપર જે વેલા વીંટાયલ છે, મૂર્તિના ઢીંચણ સુધી રાડાએ ઉભા છે અને તેમાંથી સાપ નીકળતા જણાય છે એ બધાને મૂર્તિ સાથે શે સંબંધ છે? ભદ્રબાહુની મૂર્તિ માનતાં એ બધાને કોઈ ખુલાસા ડેાકટર પાસે છે? ' ઉત્તરમાં મારે જણાવવાનું કે શું તેમનું એમ કહેવું થાય છે કે આવી સ્થિતિ કોઈ પણ ધ્યાનસ્થ મહાત્માની ન થઈ શકે ? ધ્યાનસ્થ મુદ્રા કેવળ બાહુબળીજી જ ધારણ કરી શકે તે ખીજા ન જ ધારી શકે ?—આગળ જતાં આ દરેકના ખુલાસા નીચે પ્રમાણે આપું છું. (૧) આચ્છાદન સંબંધી તેમણે આ મૂર્તિનું ચિત્ર ૧૯૩૪ ના માર્ચના ‘એશિયા' માસિક પૃ. ૧૫૩ માં આવેલું જણાવ્યું છે. સ્પષ્ટ નથી લખ્યું કે પ્રથમવાર તે સ્થાને પ્રગટ થયેલું તેમની નજરે પડયું છે. પરન્તુ લખવાના ભાવાર્થ એવા તા થાય છે જ કે, કાંતા તે સમયે અથવા બહુ તા થાડાક સમય પૂર્વેજ તેવું કેમ જાણે બહાર પડયું ન હોય ! ગમે તે હાય, મારે જણાવવાનું કે દિગંબર અવસ્થામાં તેવું ચિત્ર તા જ્યારથી એપિગ્રાફીયા ઇન્ડિકા પુ. ૭–૮ બહાર પડયું છે ત્યારથી જ તેવું લગભગ દેખાય છે. એટલે તેમણે દર્શાવેલ વસ્તુ મારા ખ્યાલ બહાર નથી જ છતાંયે જે આચ્છાદન કર્યું છે તે, સહેતુક છે. તેને
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy