SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૭૭ ] પણ પાટણમાં હાનિકારક હાર થવાથી મારવાડી સરદાર વિજયસિંગે ધનરાજ પર મરાઠા સરદારને શરણે જવાના હુકમ પાઠવ્યેા અને અજમેર સોંપી જોધપુર ચાલ્યા આવવાની સૂચના કરી. ધનરાજ જેવા નામી અને તેજવંત લડવૈયા માટે આ જાતના હુકમ વધુ પડતા હતા. પ્રતિષ્ઠાભગ થાય એવી રીતે શરણે થવાની એની પ્રકૃતિ હતી જ નહીં તેમ પેાતાના ઉપરી હાકેમના ક્રૂરમાન પ્રત્યે બેદરકારી દાખવવામાં ચાખા શિસ્તભ ગ છે એમ એ સમજતા હતા. એની આબરૂ એક નિમકહલાલ ચેઢા તરીકેની હતી. એને કાલીમા લાગે તેવું કંઈ કરવા એ તૈયાર નહાતે. વિજયસિંગના ક્રમાનથી એની દશા સૂડી વચ્ચે સેાપારી જેવી થઇ પડી ! એમાંથી પાર ઉતરવા સારુ એણે સર્વાંગે જીવનની આહૂતિ દઇ દેવાના માર્ગ નક્કી કર્યાં. પેાતાના સૈનિકાને કિલ્લામાં એકઠા કર્યાં. એ મધાની વચમાં ઊભા રહી એ ખુલંદ અવાજે મેલ્યે!— 'Go and tell the prince, thus only I could testify my obedience; and over my dead body alone could a Maratha enter Ajmer. ' મારા શૂરા ને વહાલા સૈનિકે જઈને આપણા રાજ વરને કહેજો કે આપના ફરમાનનુ પાલન મેં મારા જીવનને યમરાજની વેદી પર હામી દઈ કર્યુ છે. મારા મૃત કલેવર પર પગ દઈ ભલે મરાઠા નાયક અજમેરમાં પ્રવેશ કરે. આ જુસ્સાદાર શબ્દો મેલી એણે તરત જ પોતાના હાથ પરની હીરાની વીંટી ચસી લીધી અને મૃત્યુના મહેમાન અન્યા. જૈનધર્મ આત્માની અમરતા માને છે અને એના સાહિત્યમાં ગુણાનું બહુમાન–ગુણી પુરુષાની પૂજા એ તેા ડગલે પગલે ષ્ટિગેાચર થાય છે. એ ઉમદા વચનેનું પાન કરનાર ધનરાજે સાચે જ પેાતાનું જીવતર ધન્ય બનાવ્યું.
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy