SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] એતિહાસિક પૂરની સેરઠની સૂબાગીરી પણ સાચવી શકે અને સાથોસાથ ગિરિરાજ ગિરનાર પર ચઢવાનું સુગમ બને એવી પાજ પણ બાંધી શકે ? - રાજવીના પ્રશ્નના જવાબમાં શ્રીપાળ કવિએ હા ભણતા કહ્યું કે–રાજ્યવહીવટમાં ગૂંચ ન પડવા દે અને ભક્તિભર હદયથી તીર્થનો માર્ગ સરળતાથી તૈયાર કરાવે એ પુરુષ મારી ધ્યાનમાં આપણું રાણિગશેઠને આંબડ જણાય છે. અને એનામાં ઉભય શક્તિના દર્શન થાય છે. તરત જ આંબડને તેડાવવામાં આવ્યું. મહારાજા કુમારપાળે એના શીર પર સોરઠના સૂબા તરીકેની જવાબદારીને ભાર મૂક અને બનતી ઉતાવળે ગિરનારને પગથિયાથી અલંકૃત કરવાની આજ્ઞા પણ આપી. પિતાનામાં વિશ્વાસ મૂકી રાજવીએ જે કાર્ય સેપ્યું હતું તે એણે સં. ૧૨૪૧ માં પૂર્ણ કર્યું. રાજકીય અને આર્થિક ઉમય વહીવટ પ્રમાણિકપણે જાળવ્યા. વિશેષ વૃત્તાન્ત જાણવાની અભિલાષાવાળાએ શ્રી સોમપ્રભસૂરિકૃત “કુમારપાળપ્રબોધ” નામને ગ્રંથ જે. B%BBEBકામા આરોગ્યની ચાવી, જે માણસ પોતાનું આરોગ્ય બરાબર સાચવવા માગત તો હોય તેણે સ્વાદને કાબૂમાં રાખવા, ચિંતાને દેશવા દે, તો કામનાઓને અંકુશમાં રાખવી, લાગણીઓ પર લગામ રાખવી, હજી વીર્યનું જતન કરવું, મિતભાષી થવું, મૂર્ખાઇભરી મહત્ત્વકાંક્ષાઓને દૂર કરવી, દષ્ટિ તથા શ્રવણને શાંત રાખવાં. જે માણસ પોતાના મનને થકવી ન નાખે અને જીવને ચિંતાગ્રસ્ત કર બનવા ન દે તે માંદે શી રીતે પડે? ભૂખ લાગે ત્યારે જ જ ખાવું પણ અતિશય ન ખાવું તેમજ તરસ લાગે ત્યારે જ જ પીવું પણ અતિશય ન પીવું.
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy