SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ETA કઈ?% ર૧. બંધવબેલડી ઊર્યું કેહીનૂર હીરા. માળવા-મેવાડના ઈતિહાસમાં જેમ જૈનધમી વીરોની પરાક્રમગાથા નોંધાયેલી છે તેમ ગુજરાતના ઈતિહાસમાં પણ છે. ગુજરાતનો ઈતિહાસ અવલોકીશું તો સહજ જણાશે કે અણહિલપુર પાટણમાં જ્યારથી ગાદીની સ્થાપના કરવામાં આવી ત્યારથી મંત્રીપદે જેનધમી વણિકો વંશઉતાર ચાલ્યા આવ્યા છે. ચાં મંત્રી એના મૂળ પુરુષ તરીકે છે. વનરાજનાં વિજયમાં તેમજ જીતેલ પ્રદેશની વ્યવસ્થામાં મંત્રીશ્વર ચાંપાનાં શૌર્ય અને બુદ્ધિમત્તાનાં દર્શન થાય છે. વણિક વંશે દુભવ ચાંપા એ આમ તે ઘીને વેપારી હતો, પણ સાથોસાથ બાણ ફેંકવાની કળામાં પૂરો નિષ્ણાત હતા. પોતાની સામે કેવળ ત્રણ વ્યક્તિ નિહાળી વધારાનાં બાણ એણે ફેકી દીધાં અને હાથમાં ત્રણ બાણ જ રાખ્યાં, એ ઘટના એના ધનુષ્યવિદ્યા પરના કાબૂને સૂચવે છે, એટલું જ નહીં પણ એ કળાની અમોઘતા પણ દર્શાવે છે. સ્વબળ પર સંપૂર્ણ મુસ્તાક રહેવાની દઢ ઈચછાના એમાં દર્શન થાય છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે વ્યવસાયે વણિક અને દયા ધર્મને હિમાયતી હોવા છતાં એ શુરાતનથી ભરેલો હતો. એક તરફ વનરાજને વંશ ગાદી પર આવતે ગયો અને બીજી તરફ મંત્રી ચાંપાને વંશ મંત્રી પદ સંભાળતો રહ્યો. આવનાર
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy