SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-અંશ આપણે બે જાતની ભ્રમણામાં અટવાયા છીએ. સામગ્રીના આધારે સુખી માની બેઠા છીએ અને ક્રિયાના આધારે ધર્મી માની બેઠા છીએ. સુખનું કારણ સામગ્રી નહિ પણ સંતોષ છે. ધર્મનું કારણ કેવળ ક્રિયા નહિ પણ પરિણતિ છે. ઓડકાર એ તૃપ્તિની જાહેરાત છે તો સંતોષ એ સુખની જાહેરાત છે. કૃપણતા એ ઉદારતાની દુશ્મન નથી પણ કઠોરતા એ ઉદારતાની દુશ્મન છે. પરમાત્માનો આત્મા પ્રચંડ પુણ્યવાન અને પરમ ગુણવાન હોવાથી પુણ્યહીન કે ગુણહીન કુળમાં એમનો જન્મ થતો નથી. વ્યર્થમાં વેડફાતી શક્તિ સાર્થક ની પ્રાપ્તિ થવા દેતી નથી. પરમાત્માનું ચ્યવન કલ્યાણક આપણા મિથ્યાત્વનો નાશ કરે જન્મ કલ્યાણક આપણા પ્રમાદનો નાશ કરે દીક્ષા કલ્યાણક આપણી અવિરતિનો નાશ કરે કેવળજ્ઞાન કલ્યાણક આપણા કષાયનો નાશ નિર્વાણ કલ્યાણક આપણા યોગને રવાના કરે છે. દેવ પાસે જવું છે તો ગુરુ એ દ્વાર છે. તીર્થંકરોની ૧૦ ગુણની કમાણીના બે ગુણો છે. ૧. સ્વાર્થને ગૌણ કરે ૨. ઉચિત્ત ક્રિયા કરે ★ શરીરની અશક્તિથી કાયાનો ધર્મ થતો નથી તો મનની આસક્તિ પાપથી મુક્ત થવા દેતી નથી. W_TIM!! * EMAIL ( iven sites Livine # ૮૫ dietime #jeeve t 2009 LATE TO
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy