SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આજે છૂટાછેડાના પ્રમાણ વધી ગયા. કારણ શું? સંસ્કારો પ્રત્યેની ઉદાસીનતા સેંકડો મા-બાપોની આજે વેદના છે. ધર્મી સંતાનો સાથે સંબંધ બાંધવા જલ્દી તૈયાર થતા નથી.. રાગ ઘટાડો - વૈરાગ્ય વધારો : જીવનમાં આરાધના કરવા માટે વિષય-કષાયની મંદતા જરૂરી છે. તે વૈરાગ્યથી આવે છે. વૈરાગ્યમાંથી વિવેક ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય વિના વિવેક પણ નાશ પામે છે. વિવેકના આધારે અનેક ગુણોની ઉત્પતિ અને વૃદ્ધિ થાય છે. આરાધના પણ વિવેક પર આધારિત છે. સાધુ જીવનમાં ખાસ વૈરાગ્ય વધારવાની જરૂર છે. વૈરાગ્યના કારણે આચારની ચુસ્તતા આવે છે. આચારની શિથિલતા વૈરાગ્યની મંદતા છે. • કોઇની પણ સારી અને સાચી વાત વૈરાગ્યવાન આત્મા સમજી શકે છે. સ્વીકારે પણ છે. વૈરાગ્યવાળો આત્મા ક્યારે આમન્યાનો ભંગ કરતો નથી. • વૈરાગ્ય સદ્ભાવનાને નિરંતર પ્રર્વતાવે છે. જેથી જીવ ક્યારેય દુર્ભાવ અને દુર્ગાનમાં નથી પડતો. વૈરાગી આત્મા ભૂલે તો એને સન્માર્ગે વાળી શકાય છે. પાછા વળવાની યોગ્યતાવાળો બને છે. વૈરાગ્ય વિનાનો પોતાનો બચાવ કરે છે. વૈરાગ્ય ગુણોને પોષણ આપે છે. દોષો દૂર કરાવે છે. વૈરાગી આત્મા અપમાન આદિ સહન કરી કર્મનો વિચાર કરે છે. પરિસ્થિતિ નભાવી લે. ટાપટીપ ન હોય. ખાવા-પીવા-કપડા-વસ્તુ વગેરેમાં ક્વોલિટીની મમતા ન હોય. સમુદાય પ્રત્યે ઉપકાર બુદ્ધિ સિવાય વિશેષ આકર્ષણ ન હોય. સંસારીઓને વિષયો ખાનપાનના જ્યારે સંયમીને તપ-ત્યાગ-સંયમ ભાવના અને જ્ઞાન ધ્યાનમાં છે. વૈરાગ્યના કાર્યો વધારશો. સંસારનો આનંદ છોડવો છે. સંયમનો આનંદ વધારવો જ છે. એ ભાવના... palitarayan sansthan a શકાશ રાજ Y W trees : a૯ કાકરાપારા 11 કલાકારક Eith Yatrispensatis કાંઇ Y
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy