SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી હાલિકને લઈ આવ્યા ત્યારે ભગવાનને જોઈ ઓઘો પાછો આપી ભાગી ગયો. સ્વાતિનું પાણી માછલીની છીપમાં પડે તો મોતી જ બને અને કાદવમાં પડે તો કાદવ જ થાય. અહીં તો અર્ણિકાપુત્ર આચાર્ય ભગવંત ભાલામાં લટકી રહ્યા છે. નીચે લોહી પડે છે. ગરમ લોહી નીચે પડતા અપકાયના જીવોની વિરાધના જોઈ અંતર રડી ઉડ્યું. “ઓહ! મારા નિમિત્તે આ જીવોની વિરાધના...” શુક્લપાક્ષિક જીવ ભદ્રિક પરિણામી હોય. રાગ-દ્વેષ પાતળા પડી ગયા હોય. તીવ્રકક્ષાના કષાયો ન હોય. - ધર્મરૂચિ અણગાર ગોચરી પરઠવા નીકળ્યા છે. બીજાનું દુઃખ એ પોતાની સંવેદના બની ગઈ. - ધર્મઘોષસૂરિ મહારાજે યાવજીવ છે એ વિગઈઓ ત્યાગી દીધી.. મૂળમાં હૈયે વસેલી કરૂણા. • સર્વત્ર ઔચિત્યનું પાલન : ધર્મ પુરૂષાર્થનું સેવન એ પ્રમાણે કરવું જોઈએ કે જેથી અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થને કોઈ હાનિ ન થાય. બસ તેવી રીતે ધર્મ | અર્થ | કામ પુરૂષાર્થનું સેવન એ રીતે કરવું જોઈએ કે અન્ય પુરૂષાર્થને નુકસાન ન થાય. ગૃહસ્થ જીવનમાં આ રીતનું શિક્ષણ આવશ્યક છે. ઔચિત્યના પાલનથી વિષમતાઓ અને વિક્ષુબ્ધતાઓથી ગૂંચવાઈ અને ગૂંગળાઈ ગયેલાનો માર્ગ નીકળે. હરિભદ્રસૂરિ મહારાજ “ધર્મબિંદુ' નામના ગ્રંથમાં ઔચિત્યની ખૂબ સુંદર સમજણ ત્રણ પ્રકારના પુરુષની પ્રકૃતિથી સમજાવે છે. ૧. તાદાત્વિક : જે માણસ મળેલી સંપત્તિનો આગળ પાછળનો વિચાર કર્યા વિના ખોટા ખર્ચા કરે છે તે તાદાત્વિક છે. અર્થનો નાશ થવાથી ધર્મ અને કામનો પણ નાશ થાય છે. મૂલહર : જે માણસ બાપદાદાની મૂડી વાપરે છે, નવી કમાણી કરતો નથી તે. આવો માણસ જલ્દીથી કંગાળ બની જાય છે. ૩. કદર્ય : જે માણસ પોતે દુઃખો સહન કરી તેમજ નોકરચાકરોને પણ ત્રાસ આપીને પૈસા કમાય છે, ભેગા કરે છે પણ ખર્ચતો નથી અને કદર્ય કહેવાય છે. તેમનું ધન કાં તો સરકાર લઈ જાય છે. કાં તો બીજા ખાઈ જાય છે, કાં તો કોઈ લૂંટી લે છે.
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy