SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પતિનું મોત છે. રાગના કારણે પતિની દુર્ગતિ થશે એ ચિંતા થઈ. કાનમાં કહ્યું હવે કશું વિચારો નહીં. કારણકે તમને તમારા ભાઈએ નથી માર્યો, તમારા કર્મોએ માર્યો છે. માટે શાંત થાઓ. રૂપનું કારણ કદાચ દુર્ગતિનું કારણ પણ બનશે પણ દ્વેષ ન કરો. ભાઈને ક્ષમા કરી દો! પતિ પર તેને પ્રેમ. અંતઘડીએ એના હૃદયના પરીવર્તનની ઈચ્છા. ધીમે ધીમે આંખની લાલાશ ઓછી થતી ગઈ. તેને કહે “પરલોકની ચિંતા કરો. ભાઈને માફ કરી દો, આંખમાં આંસુના ટીપા દેખાયા. આંખ સફેદ થઈ.” મદનરેખાને થયું હું ન્યાલ થઈ ગઈ. ત્રણ આંચકા આવ્યા ને ખલાસ. (સફેદ આંખ સદ્ગતિની જાહેરાત કરે છે) મદનરેખા મર્દાનગીપૂર્વક ઊભી થાય છે. જેઠ જે રસ્તે ગયા તે રસ્તે જાય છે. જેઠ જે રસ્તે જતો હતો ત્યાં જ બાજુની ઝાડીમાંથી સાપ બહાર આવીને એને ડંખ મારે છે. અને તે પણ ત્યાં મૃત્યુ પામે છે. બંને ભાઈની સ્મશાન યાત્રા સાથે નીકળે છે. એકની સદ્ગતિ થઈને બીજાની દુર્ગતિ. મનને માંગવાનું રહે નહીં ત્યાં સુધી લઈ જવો તે તૃપ્તિ છે. જગતમાં સુખી કોણ? જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ રહિત એક સાધુ સુખી છે. ભૌતિક પદાર્થોના સંયોગમાં વાસ્તવિક સુખ-શાંતિ છે જ નહીં. સાચો સાધક જગતને જોઈને ધરાય છે. અનંત ગુણો ભગવાનના જોજો . અનંત દોષો જોવા હોય તો પોતાના જોજો . જે આત્મા અનંત અનંત ગુણો પરમાત્માના જુએ છે એ આત્માને માટે પછી જગતમાં કાંઈ જ જોવા જેવું રહેતું નથી. સુખ તમારી પાસે જ છે. બહાર માંગવા નહીં જાવ. જેને અંદરના સુખની ખબર નથી તે બહાર ભટકયા કરે છે. જ્ઞાન ભણ્યા, ગુણ નહીં. ક્રિયા છે પણ સગુણ નથી. ગુણ નથી પણ સમભાવ પણ નથી, તેને તૃપ્તિની અનુભૂતિ થતી નથી. માટે પ્રભુ કહે છે તારે દુનિયાના કોઈપણ ખૂણે જવું હોય તો જા... પણ ત્યાંથી વહેલી તકે પાછો ઘરે આવી જા. ઉપાધ્યાયજી ‘તૃપ્તિ અષ્ટકમાં પરમ કરૂણા વરસાવી પુદ્ગલના ait tia Y NEWS & It's a Y LS
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy