SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી લાગી?’’ અને પૂછો તો જવાબ મળે કે તારા ચશ્માની ફ્રેમને જોવાની મને ફુરસદ નથી તો....? ભગવાનના શાસનને પામેલો મર્યાદાવાળા કપડા પહેરે અપ ટુ ડેટ નહીં. અમે પણ પસંદગી કરીએ પણ કોઈ ચીજ અમને ડીસ્ટર્બ કરતો હોય તો જ. શાસ્ત્રોમાં એના માટે છૂટ આપેલી છે. આપણી પસંદગી રાગ માટે કે સ્વાસ્થ્ય માટે? જે પણ વિષય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો તો તે પરિસ્થિતિ પણ પસંદ છે એમ કહો: પસંદગી છોડો તો તે પણ પડકાર છે. ભોગનો આનંદ તો અધમ માણસોને પણ સુલભ છે. પણ ત્યાગનો આનંદ ઉત્તમ માણસોને સુલભ છે. ભૂરાભાઈ હોલમાં શિબિર વખતે આ મુદ્દો મુક્યો ને ત્યારબાદ એક છોકરો આવ્યો. કહે, ‘મેં મારી ખાવા-પીવાની વ્યવસ્થા બદલી નાખી સોમવારે ચા, મંગળવારે કોફી, બુધવારે-દૂધ એવી રીતે કરી નાખ્યું?'' શા માટે? ‘એક જ વસ્તુની આદત ન પડે માટે. પુદ્ગલ પ્રત્યે વિષય ભાવ ન જોઈએ, પુદ્ગલ જીવો પ્રત્યે દુર્ભાવ ન જોઈએ. સમસ્થાન સિવાય મોક્ષ નથી. જીવનમાં સમભાવ, સદ્ભાવ હોય તો મોક્ષ નક્કી છે. જ્ઞાનનું અમૃત, ક્રિયાનો ખોરાક ને સમતાનો મુખવાસ... મુખવાસનું કામ શું? પરીણામ શું? મુખમાંથી સુગંધ આવે... સમ્યક્ ક્રિયાનાં ભોજન કર્યા પણ સમતાનો મુખવાસ ન ખાધો તો તૃપ્તિનો ઓડકાર નહીં આવે. મદનરેખાનું રૂપ ખૂબજ જોરદાર હતું. તેના પર જેઠની નજર બગડી (આંતર શત્રુ એટલે શું?) જેની સાથે આત્મીય સંબંધ છે તે બધાં આંતર શત્રુ છે. આત્મિયતાનો સંબંધ કોની સાથે; પ્રતિકુળતા આવે ત્યારે ગુણ આવે કે દોષ? શ્રદ્ધા જોઈએ એવી મજબુત નથી. ‘એક બુજ્જ’ શબ્દે ચંડકૌશિકને અસર ન થઈ. બીજીવાર ભગવાન બોલ્યા ને ચંડકૌશિક તરી ગયો. પ્રતિકુળતામાં ગુણ કેળવવાની બુદ્ધિ જાગે તો રાજા છીએ. પહેલો ભરોસો કોની ઉપર? આટલા વર્ષોની સાધના પછી પણ ધર્મ ૫૨ ભરોસો સ્થિર નથી. કટોકટીના સમયે ધર્મ કરે તો ધર્મી થવાની જાહેરાત છે. જેઠે એક દિવસ ખરાબ માંગણી કરી. મદનરેખા ચોંકી (જે ક્ષેત્ર છોડવું હોય તેના પર કોમળતા ન રાખવી. કોમળતા રાખશો તો કઠોર પરીણામ આવશે. દોષ ન ગમતા હોય તો તેના પ્રત્યે કોમળ ન બનજો. કઠોર બનજો.) મદનરેખા કઠોર બની. જેઠે ઊંધો વિચાર કર્યો- જયાં સુધી નાનો ભાઈ જીવતો છે ત્યાં સુધી મદનરેખા મને મળશે નહીં. (આપણી મોટામાં મોટી ભયંકરતા એ છે જે ગમે છે તેના માલિક બનવા દોડીએ છીએ અને માલીકી માટેની આ દોટ જ જીવનને સંઘર્ષોથી વ્યાપ્ત બનાવી દે છે.) એનું ખૂન કરી નાંખુ *_OF_KA__************* __________ ૩૦૧ HAY TYA
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy