SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ રાખો”. સાધના માટે બે મજબૂત પરિબળો Continuity and with Interest ધીરે રહીને માથું ઉપર કર્યું. જૈન શાસનના આચાર્યના પગલા મારે ઘરે પડે તે મહાભાગ્ય છે. પણ સાધુ તો ત્યાગ વધારવાની વાત કરે કે ઘટાડવાની? આરાધના કરે તેને કદાચ સ્વર્ગ મળે પણ આરાધના વધારાને ને એમાં આનંદ મળે તેને મોક્ષ મળે. હરિભદ્રસૂરિજી કહે છે, જયાં સુધી તારામાં ગુરૂતત્વ પેદા ન થાય ત્યાં સુધી તારે ગુરૂ પકડી રાખવાના છે. ગૌતમે મહાવીરને જ્યાં સુધી પડ્યાં? પોતે ભગવાન ન બન્યા ત્યાં સુધી. માનવગતિ, એ ખરેખર સદ્ગતિ છે. એમાં ધર્મ નથી કરતો એ મોત પછી સદ્ગતિમાં શી રીતે જવાનો. આજ સુધી મોક્ષ નથી એ આ ત્રણમાંથી એક પરિબળ છે. (૧) જેમાં સુખ ચિક્કાર હોય તે સદ્ગતિ નથી. પણ જેમાંથી સદબુદ્ધિ મળે તે સદ્ગતિ (૨) સુખ મળે કે ન મળે તો ચાલે પણ બુદ્ધિ મળવી જોઈએ (૩) જિન શાસનનો પર્યાય શબ્દ છે - બુદ્ધિ. કબીરે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, “આ ભવમાં જો ભક્તિ સાચી હોય તારા પ્રત્યે તો આવતા ભવમાં મને તારો ભક્ત બનાવજે. અને જો ભક્તિમાં કચાશ હોય તો તારા ભજન જેના ઘરે ચાલતા હોય તેના ઘરનો નોકર બનાવજે. છતાં ભક્તિમાં કચાશ હોય તો તેના ઘરનો કૂતરો બનાવજે અને છતાં પણ કચાશ હોય તો કૂતરાના શરીરનો કીડો મને બનાવજે.” લાકડી તરીકે મજબૂત ગુરૂ પકડજો. સત્વ પગમાં પોતાની મેળે આવી જશે. ગુરૂ લાકડી તરીકે પકડી સમર્પણ ભાવ રાખવાનો છે. ત્યાગની રૂચિ પેદા કરજો. ફાવી જશો. ( વાચનાપ્રસાદી ) ત્યાગમાં વૈરાગ્ય ભળે તો યોગમાર્ગે ઊર્ધ્વયાત્રા કરાવે. ત્યાગમાં વૈરાગ્ય ન ભળે તો તે ત્યાગ પ્રાયઃ દંભ સ્વરૂપ બને, અભિમાનને પોષે, ભવ ભ્રમણમાં જકડી રાખે અને ભોગમાર્ગ ઉત્સુકતા તથા આસક્તિ પેદા કરાવે. વાંક E I
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy