SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ कान्ता मे समतैवैक, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति. त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ||३|| (૩) -એક સમતા-સમતા જીવ-જ મે-જે મારી જીન્તા-વહાલી સ્ત્રી છે. સક્રિય-સમાન આચારવાળા સાધુઓ છે-મારા જ્ઞાત:-સગાવહાલા (છે.) તિ-એ પ્રમાણે બીહાવ-બાહ્યવર્ગને સ્વા-છોડીને સંન્યાસી-ધર્મ સંન્યાસવાળો બવે-થાય. (૩) એક સમતા જ મારી વહાલી પત્ની છે, સમાન આચારવાળા સાધુઓ જ મારા સંબંધીઓ છે. આ પ્રમાણે (પહેલી, બીજી ગાથામાં અને ત્રીજી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યા પ્રમાણે) બાહ્ય પરિવારનો ત્યાગ કરીને બાહ્યઋદ્ધિ આદિ સંબંધ ઔદયિક ભાવ રૂપ ધર્મના ત્યાગવાળો થાય, અર્થાત્ ઔદયિક ભાવને છોડી ક્ષાયોપથમિક ભાવવાળો થાય. યોગશાસ્ત્રોમાં યોગના ઈચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય એમ ત્રણ ભેદ છે. (૧) આગમના બોધવાળા જ્ઞાનનો પૂર્ણ ધર્મ કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદના યોગે અપૂર્ણ- અતિચારાદિ ખામીવાળો ધર્મ વ્યાપાર ઈચ્છાયોગ છે. (૨) શ્રદ્ધાળુ અને પ્રમાદ રહિતનો શાસ્ત્રના સૂક્ષ્મબોધથી શાસ્ત્ર મુજબ અખંડઅતિચારાદિથી રહિત યથાશક્તિ ધર્મ વ્યાપાર શાસ્ત્રયોગ છે. (૩) જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી, છતાં સાધકની શક્તિની પ્રબળતાથી થતો વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષ રૂપે નહિ કહેલો) ધર્મવ્યાપાર સામર્થ્યયોગ છે. સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એમ બે ભેદ છે. ધર્મસંન્યાસના તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે ભેદ છે. ઔદયિકભાવ રૂપ ધર્મનો સંન્યાસ - ત્યાગ એ અતાત્ત્વિક ધર્મ સંન્યાસ છે. ક્ષાયોપથમિક ભાવ રૂપ ધર્મનો ત્યાગ એ તાત્વિક ધર્મ સંન્યાસ છે. મન, વચન અને કાયા એ ટાણે યોગોનો ત્યાગ એ યોગ સંન્યાસ છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ પ્રવ્રયાકાલે હોય છે. કારણકે ત્યારે ઔદયિક ભાવ રૂપ અશુભ ધર્મનો ત્યાગ થાય છે. તાત્ત્વિક ધર્મ સંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાને હોય છે.' જો કે, ક્ષાયોપથમિક ભાવના બધા ધર્મોનો ત્યાગ તો ૧૨મા ગુણ સ્થાનના અંતે થતો હોવાથી સંપૂર્ણ ધર્મસંન્યાસ યોગ ૧૨મા ગુણ-સ્થાને હોય. છતાં નિશ્ચયનયની દષ્ટિએ જે ક્રિયા કરવા માંડી તે કરી કહેવાય. ધર્મસંન્યાસ કરવા માંડ્યો એટલે કર્યો કહેવાય. આથી તાત્ત્વિક ધર્મસંન્યાસ ક્ષેપક શ્રેણીમાં આઠમા ગુણસ્થાને હોય એવો નિર્દેશ નિશ્ચયનયની દૃષ્ટિથી છે. કવિ જ Y aiFi સાઇs Yadi
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy