SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જિસ સમય શે૨ થા તબ મૈ ખુદા કે સાથ થા ઔર જબ મચ્છર આયે હૈ તબ મૈ તુમ્હારે સાથ હું. જ્ઞાનર્દિષ્ટ આવી અણમોલ ચીજની ભેટ આપી છે. સ્થૂલિભદ્રસ્વામિ છ મહિના સુધી કોશા વેશ્યાને ત્યાં રહીને પણ પોતાની દૃષ્ટિ નિર્મળ રાખી શક્યા.. મહાનિશિથ સૂત્રમાં જણાવે છે કે જયાં સુધી આપણે સ્વાધ્યાયમાં લીન હશું, જ્ઞાનર્દિષ્ટમાં ઉતરેલા હશું ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિઓનો આપણને કોઈ વાંધો આવતો નથી. પરભાવનું કર્તાપણું દૂર કરી જગતની અંદર પરભાવમાં માત્ર સાક્ષીપણું રાખવું. જ્ઞાનદૃષ્ટિને મજબૂત બનાવો. ગમે તેવી ઘટના સર્જાય છતાં ખળભળાટ નહીં થાય. શિષ્યોને રહસ્ય સમજાવી રહ્યા હતા ત્યાં અચાનક ધરતીકંપ થયો. બધા બહાર ભાગી ગયા. જોયું તો ગુરુ દેખાતા જ નથી. ધરતી શાંત થતાં જુએ છે તો તેમના ગુરુ એમના એમ જ બેઠા છે. શિષ્યો કહે છે ગુરુજી અમે બધા તો ભાગી ગયા અને તમે અહીંયા જ બેઠા છો. ગુરુજી કહે છે હું પણ ભાગી ગયો હતો. તમે બધા બહાર ભાગી ગયા અને હું મારી અંદર ભાગી ગયો. જ્ઞાનીઓને ઘટના દુર્ઘટના કાંઈ કરી શકતી નથી. અમદાવાદમાં પંડિત વીરવિજ્યજી મ. દ૨૨ોજ વ્યાખ્યાન સંભળાવે. પ્રેમાભાઈ જેવા શ્રાવકો ગુરુદેવની સામે જ બેસે. પ્રેમાભાઈની મુખાકૃતિ જોઈને વીરવિજ્યજી મહારાજને પ્રવચન કરવામાં આનંદ આવતો. એક દિવસ પ્રેમાભાઈ વ્યાખ્યાનનો સમય થઈ ગયો છતાં આવ્યાં નહીં. વીરવિજ્યજી મહારાજે વ્યાખ્યાન શરૂ કર્યું પણ મૂડ જામતો નથી. સારામાં સારા પ્રવચનો ચાલતા હોય ગુરુમહારાજ જે જિનવાણી સંભળાવતા હોય ત્યારે એમનો ક્ષયોપશમ ઘણીવાર સામે બેઠેલી વ્યક્તિઓને આભારી હોય છે. જિજ્ઞાસાથી સાંભળનારા ચાર જ હોય તો પણ ઘણું થઈ જાય. પ્રેમાભાઈ મોડા આવ્યા. પૂજ્યશ્રી પૂછે છે આજે મોડા કેમ? સાક્ષીભાવ ખીલી જાય તો વ્યક્તિ સંસારમાં દરેક પ્રસંગે મહાનતા કેળવી શકે છે. પ્રેમાભાઈ કહે છે, મહેમાન આવેલા તેમને વળાવવા ગયેલો. વીરવિજ્યજી મ. ને વિશ્વાસ નથી આવતો. પ્રેમાભાઈ જિનવાણીને છોડીને એ સમયે આવેલ મહેમાનને મૂકવા જાય નહીં. પ્રેમાભાઈનો ઉત્તર સાંભળ્યા પછી પણ મન માનતું નથી. ત્યારે બાજુમાં ઉભા રહેલા શ્રાવક મહારાજને કહે છે એમનો જુવાન દિકરો મૃત્યુ પામ્યો એને વળાવવા તેઓ ગયા હતા. સંસારી જીવોમાં પણ આવી જ્ઞાનદષ્ટિ વિકસ્વર થયેલી જોવા મળે છે. ગૌતમસ્વામીએ પણ આનંદ શ્રાવક પાસે જઈને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. શ્રાવક જીવનમાં વિશિષ્ટ • ૧૫૪ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy