SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ | પાપી છતાં નિષ્પાપી ...! છે જે આત્મા ઔદાયિક ભાવમાં મોહ નથી પામતો તે આત્મા પાપ કરવા છતાં પાપથી લપાતો નથી. સંસારમાં સતી સ્ત્રી માટે પતિની આજ્ઞા શિરોમાન્ય હોય છે તેમ શાસનમાં ભક્તિ માટે પ્રભુની આજ્ઞા શિરોમાન્ય હોય છે. તમે કયાં બેઠા છો એ મહત્વનું નથી પણ તમારા હૃદયમાં કોણ બેઠું છે તે મહત્ત્વનું છે. પાપથી લેવાવું ન હોય તો જે મળે તેને પ્રેમથી સ્વીકારી લો. સંઘર્ષમાં સામેનું પાત્ર નિર્દોષ હોય છે જે કાંઈ ખરાબી છે તે આપણા પૂર્વજન્મોના કર્મની છે. બીજાને વાળવો હોય તો બાળો નહિ પણ સાંભળો. જ્ઞાનાભ્યાસ કરતા અભિમાન ન જોઈતું હોય તો ચૌદપૂર્વીઓ અને કેવલીની જ્ઞાનશક્તિનો વિચાર કરજો. કર્મના ગણિતનો ખ્યાલ નહિ આવે ત્યાં સુધી કલેશ કંકાસથી થતા નુકશાનનો ખ્યાલ નહીં આવે. જિનશાસનના મર્મજ્ઞ ઉપાધ્યાજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં ચિંતનમનન કરી મૌલિક ચિંતન સ્કૂલ શબ્દોમાં જણાવતા કહે છે કે આગમાં ગયેલો માણસ દાઝયા વગર પાછો ન આવે, પાણીમાં ગયેલો માણસ ભીંજાયા વગર પાછો ન આવે ને કાજળની કોટડીમાંથી આબાદ રીતે બહાર અવાતું નથી તેમ પાપ કરે અને પાપ ન લાગે તેવું બનતું નથી. આજના વૈજ્ઞાનિક યુગમાં ફાયર ફાઈટરો આગમાં જાય છે ત્યાં ઈચ માત્ર પણ બળતા નથી. પાણીમાં પણ એવા કપડા પહેરીને જાય કે ભીંજાયા વગર બહાર નીકળી શકે પણ અહીં તો જ્ઞાનસારમાં સામેના પારનું ચિંતન કરતા કહે છે કે જેમાં આગમાં ગયા પછી પણ બચી શકાય તેમ પાપ કર્યા છતાં પણ નિષ્પાપી બનીને સંસાર સાગર તરી શકાય છે. પાપ કર્યા છતાં પાપી ન બની શકે એવો સુંદર રસ્તો છે. આ સંસારની અંદર ગમે તેવા પરિણામો આવે, વાવાઝોડા આવે છતાં જે જીવ ઔદાયિક ભાવની અંદર મુંઝાતો નથી આકાશની ઉપર
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy