SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ થયા. એમની સાથે આરાધના કરનારા કેટલાક ભાઈઓ હતા. આ શ્રાવકો ઉપાશ્રયમાં જઈ જયારે સામાયિક- પ્રતિક્રમણ કરતા ત્યારે એ સમયે એક ગરોળી સ્થાપાચાર્યજીની આજુબાજુ ફર્યા કરે. દૂર કરવા ગમે તેટલા પ્રયત્નો કરે પણ એ ત્યાંથી ખસતી નહોતી. એકવાર જ્ઞાની ભગવંત પધાર્યા. શ્રાવકોએ વાત કરી. ભગવંતે કહ્યું-સ્થાપનાચાર્યજીમાં કિંમતી રત્નો છે. આ ગરોળી એ બીજા કોઈ નહીં પણ તમારી સાથે આરાધના કરતા ભાઈ જે હમણા આ ભવમાંથી વિદાય થયા તે છે. ભાઈઓ! આ સંસારમાં વ્યવહારિક અભ્યાસ કરતો બાળક ચોથીમાં ફેઈલ થાય તો કયાં જાય? ચોથીમાં જ રહે છે. ત્રીજી કે બીજીમાં જતો નથી. જિનશાસન કહે છે મનુષ્ય જિંદગીની અંદર ફેઈલ થનારા કયાં જશે એની કોઈ ગેરંટી નથી. એક માત્ર જડનો પ્રેમ ધર્મિષ્ઠ વ્યક્તિને કયાં લઈ ગયો. આ નશ્વર ચીજનાં મમત્વએ પવિત્ર જીવનને રફેદફે કરી નાખ્યું. આજે જ ઘરમાં સ્વર્ગ ઉતારો. બધા વિના ચાલે પણ દર્શન-આરાધનાપૂજન-સામાયિક વિના ન ચાલે. આટલું કરશો તો ઘરમાં હોળી છે એની જગ્યાએ દિવાળી પ્રગટશે. સંપત્તિની રેલમછેલ... સગવડોની વણઝાર... પદાર્થોના ખડકલા.. જમાવેલી પ્રતિષ્ઠા. જાલીમ માંદગી વચ્ચે સ્વસ્થતા આપી શકશે? તો એક કામ કરો. શ્રીમંતાઈમાં નમ્રતા લાવો... સફળતામાં સજ્જનતા ટકાવી રાખો. નિષ્ફળતામાં દુર્જનતાના શિકાર ન બનો.. જીવન ધન્ય બનાવો. - - ૧૦૮ -
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy