SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કરી દી" - ક, કર . . . . ૨૧ સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો માટે ધાર્મિક જેનશિક્ષણની રૂપરેખા હિના પારેખ જૈનદર્શનના અભ્યાસુ હિનાબહેન સુંદર વક્તા તથા પ્રવક્તા છે. રૂપરેખા કેવી હોવી જોઈએ ? શું કામ હોવી જોઈએ ? આ રૂપરેખા કઈ રીતે આજની ૨૧મી સદીની આ પેઢીમાં એવી રેખા અંકિત કરી દે કે આવનાર ૮૪,૦૦૦ વર્ષ સુધી આ ધરતી પર તીર્થકર અવતાર નથી લેવાના, છતાં પણ જૈન ધર્મનો પાયો તસુભાર પણ હલબલી ન શકે અને આ યુવાપેઢી ઢાલ બનીને તેનું રક્ષણ કરવા હરહંમેશ સાબદી રહે, સાવચેત રહે, સભાન બને અને એક એવું બુલેટપ્રૂફ કવચ બની જાય, જેને કોઈ છેદી ન શકે, કોઈ ભેદી ન શકે. આ રૂપરેખા ત્રણ વિષયને સાથે લઈ બનાવી શકાય. તે છે - (૧) ઘર. (માતા-પિતા-વડીલ) (૨) ગુરુ (૩) યુવાપેઢીનો પોતાનો પુરુષાર્થ. કહેવાય છે Man is a social animal. મનુષ્ય સામાજિક પ્રાણી છે. માનવીની માનવી બનવાની શરૂઆત તેના ઘરથી થાય છે. બાળક જન્મે છે ત્યારથી જ તેની આસપાસના વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણની તેની પર અસર થવાની શરૂઆત થઈ જાય છે. બાળક જે જુએ છે, જે અનુભવે છે, જે Feel કરે છે, તે જ તેના મનની કોરી પાટી પર અંકિત થવા લાગે છે. તેને સભ્ય-અસભ્ય, સારું-ખરાબ વગેરેની કોઈ સમજણ હોતી નથી. તે માત્ર અનુકરણ કરતો હોય છે. તેનાં મોટેરાંઓનું માતાપિતા કે વડીલોનું - તે તેને જ અનુસરે છે. તેની માટે તે જ સત્ય, તે જ સાચું, તે જ Reality હોય છે. તો કહેવાની જરૂર છે કે બાળકોનો પાયો - તેના ઘડતરનું ચણતર માત્ર અને માત્ર ઘર સાથે જોડાયેલું હોય છે. તો કેવા હોવા જોઈએ માતાપિતા ! વડીલોનું વર્તન, વાણી અને વ્યવહાર તપાસવાના છે. આપણે આપણી જાતને...શું મોટા થતા બાળકને ક્યારેય પ્રભુ મહાવીરની વાર્તા આપણે કીધી છે ? શું જૈન ધર્મની સમજણ તેને આપી છે? શું રામની પિતૃભક્તિ વિશે ચર્ચા કરવાનો ટાઈમ આપણે કાઢ્યો (જ્ઞાનધારા-૩ર ૧૨૮ કર જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy