SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા જૈનદર્શન અહિંસાને પરમધર્મ માને છે જગતના જે કાંઇ જીવો છે તે તમામ તરફ અને તે જીવોમાંના જે કોઇ આપણા મીત્રો છે કે વિરોધીઓ છે એ તમામ પ્રત્યે સમતાભાવ કેળવવો તેમનું નામ અહિંસા છે. અહિંસા ધર્મનું પહેલું લક્ષણ છે. ધર્મના સ્તોત્ર છે. અહિંસા એટલે પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ, રાગ, દ્વેષ મોહ આદિનો અભાવ. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે ધર્મનું સારતત્ત્વ એનું બીજું નામ અહિંસા, જીવ માત્ર પ્રત્યે કરૂણાવંત બનો. જીવનમાં સફળતા માટે વાણીનો સંયમ કેળવવો આવશ્યક છે. કોઇનો વાંક જોવાની વૃત્તિ ન રાખવી જોઇએ અને વર્તનમાં સકારાત્મક વૃત્તિ (Positive attitude) રાખવી જોઇએ. પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની મનને કેળવણી આપવી જોઇએ. સદ્ગુણોમાં માર્ગ સાધનાનો છે. સદ્ગણોના જતન માટે સતત જાગૃતિ આવશ્યક છે. ત્યાગ અને સમર્પણની પણ તૈયારી રાખવી પડે. ક્ષમાને પ્રથમ આદર્શ ગણવામાં આવે છે. જીવનમાં સમત્વની આરાધના કરવા માટે અને સંબંધના સેતુને તૂટવાથી બચાવવા માટે ક્ષમાભાવ અતિ ઉત્તમ છે. ક્ષમા માંગવી સરળ છે પણ આપવી કઠિન છે એવો સંકલ્પ કરીએ કે હું બધા જીવોને મિત્રતાની દષ્ટિએ જોઇશ અને સૌ જીવો પણ મિત્રતાના દષ્ટિએ જુએ. જીવનમાં આવેલા અહંકારથી માનવીનું પતન થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલું કપરૂ નથી. પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ નમ્રતા જાળવવી તે ખૂબ કઠિન છે. નમતા એ ધર્મનો અને પ્રેમનો પાયો છે. માણસ નમ્રતા અને વિનય ભાવથી મહાન બને છે. સારો સ્વભાવ મનુષ્યની slos ziura Ed. Good nature is human's great capital. Aceiaj આચરણ પણ ધર્મ છે. There is no higher religion than truth. જ્ઞાનધારા-૧ ૨૬૯ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy