SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આશય શું છે? આ રીતે ઉપયોગમાં રહેવું તે યોગ. જે વ્યક્તિ ઉપયોગમાં રહે તે બિમાર ન પડે, મનથી દુઃખી નથાય, એની ચેનતા કલુષિત ન થાય. માટે મન, વચન કાયાનો યોગ એટલે જ ઉપયોગ. સ્વયંમાં સ્થિર થવું. એ માટે કોઈ જ્ઞાનીએ કહ્યું છે, રવાના, પીના, સોના, મિતના, વવન-વિના જોંગ પર ઘટાફ, ત્યાં ત્યોં ધ્યાન મા આપણે, ખાવામાં, પીવામાં, સવામાં, લોકોને મળવામાં, વાણી-વિલાસમાં એટલો સમય વ્યર્થ કરીએ છીએ એ જેમ જેમ ઉપયોગમાં રહી ઓછું થશે તેમ તેમ ધ્યાનનો પ્રકાશ વધશે. ચિત્તવૃત્તિનિરોધ અને મોક્ષમાર્ગ પર આગળ વધાશે. યોગની પૂર્વભૂમિકા ચાર પ્રકારની છેઃ (૧) ગુરુ, દેવ વગેરેનું પૂજન - ગુરુજનોને પ્રણામ કરવા, વિનય રાખવો, દેવપૂજનમાં ફૂલ ઈત્યાદિથી દ્રવ્યપૂજા થાય છે પણભાવપૂર્ણ સ્તોત્રો દ્વારા ભાવપૂજા શુદ્ધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. દીન અનાથને દાન આપવું (૨) સદાચારોનું પાલન - લોકોમાં નિંદા થાય એવું કોઈ પણ કાર્ય ન કરવું. દરિદ્ર, અનાથ, વ્યાધિગ્રસ્ત જીવોનાં દુઃખ દૂર કરવા, સર્વત્ર નિંદાનો ત્યાગ, સદાચારીની પ્રશંસા, આપત્તિમાં અદીનતા રાખવી, સંપત્તિમાં નમ્રતા રાખવી, મિતકારીહિતકારી બોલવું, વ્રત-નિયમનું પાલન કરવું, ખોટા ખર્ચા ન કરવા, મધપાન વગેરે પ્રમાદોનો ત્યાગ કરવો, યોગ્ય કાર્યમાં ખર્ચ કરવો વગેરે. (૩) તપશ્ચર્યા - - શુલપક્ષમાં એક-એક કોળિયો વધારવો- કૃષ્ણપક્ષમાં એક-એક કોળિયો ઘટાડવો (ચાન્દ્રાયણ તપ), ઉપવાસ-આયંબિલ (કૃચ્છત૫), મૃત્યુંજય મંત્રનું સ્મરણ (મૃત્યુઘ્ન તપ), હીં અસિઆઉસાનમઃ તથા બીજા પણ મંત્રોનો જાપ (પાપસૂદન તપ) જ્ઞાનધારા-૧ ૯૭ == જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy