SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચાયુનો બંધ બીજાગુણઠાણા સુધી હોય છે તેથી ૨જો ભાંગો બીજાગુણઠાણા સુધી જ હોય છે અને મનુષ્યાયુ ૧-૨-૪ ગુણઠાણે બંધાતું હોવાથી ૩જો ભાંગો ૧/૨/૪ ગુણઠાણા સુધી હોય છે. * નારકોને તિર્યંચાયુ કે મનુષ્યાયુનો બંધ પૂર્ણ થયા પછી આયુષ્યનો અબંધ, નરકાયુનો ઉદય, તિર્યંચાયુ-નરકાયુની સત્તા હોય છે. તે ૪થો ભાંગો થયો અને આયુષ્યનો અબંધ, નરકાયુનો ઉદય, મનુષ્યાયુ-નરકાયુની સત્તા હોય છે તે પમો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત ન્યૂન છમાસ છે. નારકો તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધ્યા પછી ૪થા ગુણઠાણા સુધી જઈ શકે છે. તેથી ૪થો-૫મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. એ રીતે, નારકોને પરભવાયુના બંધ ૧૦પહેલાનો પરભવાયુને બાંધતી વખતે અને પરભવાયુના બંધ પછીના ૨ ભાંગા થાય છે. એટલે નારકની અપેક્ષાએ આયુષ્યના કુલ-૫ ભાંગા થાય છે. : નારકોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગાનં. ૧ ર ૩ ૪ ૫ બંધ ૦ તિર્યંચાયુ મનુષ્યાયુ ° ૧ ભાંગો થાય છે. ૨ ભાંગા થાય છે ૦ ઉદય સત્તા ગુણઠાણા નરકાયુ નરકાયુ ૧ થી ૪ નરકાયુ તિર્યંચાયુ-નરકાયુ | ૧લું-૨કું નરકાયુ | મનુષ્યાયુ-નરકાયુ| ૧/૨/૪ નરકાયુ | તિર્યંચાયુ-નરકાયુ ૧ થી ૪ નરકાયુ | મનુષ્યાયુ-નરકાયુ|૧ થી ૪ ક્યારે હોય ? બંધ પહેલા બંધકાળે બંધકાળે બંધ પછી બંધ પછી (૧૦) કોઈપણ જીવ પરભવાયુને બાંધવાની શરૂઆત ન કરે ત્યાં સુધીના કાળને બંધ પહેલાનો કાળ કહે છે. જે સમયે પરભવાયુને બાંધવાની શરૂઆત કરે છે, તે સમયથી માંડીને જે સમયે પરભવાયુનો બંધ પૂર્ણ કરે, તે સમય સુધીના કાળને બંધકાળ કહે છે અને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછીના કાળને બંધ પછીનો કાળ કહે છે. ૫૪
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy