SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજી અમૃતલાલ-પુરુષોત્તમદાસવાળા ૬ઢા કર્મગ્રંથના વિવેચનમાં કહ્યું છે કે, કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્ય પ્રાયોગ્ય-૩૦નો બંધ ઘટતો નથી. કારણ કે છેલ્લી ત્રણ નરકના સમ્યગ્દષ્ટિ નારકોને કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી. અને વૈમાનિક દેવોને જિનનામનો બંધ હોય છે પણ કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા ન હોવાથી ૧૩૯૩૪ ભાંગા ઘટે છે. અવિરતિમાર્ગણાની જેમ નીલલેશ્યામાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા ઘટે છે. કાપોતલેશ્યામાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા ઘટે છે. તેજોલેશ્યામાર્ગણા તેજોલેશ્યાવાળા જીવો બાદરપૃથ્વીકાયમાં, બાદરઅપકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં, પર્યાપ્ત મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે તેજોલેશ્યાવાળા જીવો. બાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં-૨૫/૦૬/૨૮/૨૯૩૦/૩૧ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેજોલેશ્યામાર્ગણામાં બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રા) ર૫ના બંધના ...૮ બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રા. ર૬ના બંધના.... ૧૬ પર્યાપ્તતિર્યચપચે પ્રા૦ ૨૯/૩૦ના બંધના......૯૨૧૬ પર્યાપ્ત મનુષ્યપ્રા૦ ૨૯/૩૦ના બંધના....૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના .... ૧૮ કુલ ૧૩૮૭૪ ૨૫૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy