SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ના બંધના-૮ ભાંગા: સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ વિકલ્પે બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભઅશુભ) × ૨(યશ-અયશ) = ૮ બંધભાંગા થાય છે. ૩૦ના બંધનો-૧ ભાંગો: અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય૩૦ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ૩૧ના બંધનો-૧ ભાંગો: અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે તેથી દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો ૮ ભાંગા, ૮ ભાંગા, ૧ ભાંગો, ૧ ભાંગો, દેવપ્રાયોગ્ય કુલ ૧૮ ભાંગા થાય છે. - - - - અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ ભાંગોઃ દેવગતિપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી એક જ યશકીર્તી બંધાય છે. તે કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ ન હોવાથી, તેને અપ્રાયોગ્યબંધ કહે છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ૨૨૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy