SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોદય હોય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય છે અને મંદતમ કષાયોદય હોય ત્યારે જઘન્યસ્થિતિ બંધાય છે. તેથી સ્થિતિબંધ-૨ પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટસ્થિતિબંધ (૨) જઘન્યસ્થિતિબંધ. મૂલકર્મોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ - (૧) જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોળકોસાળ બંધાય છે. (૨) દર્શનાવરણીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોકો સાવ બંધાય છે. (૩) વેદનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોકો સાવ બંધાય છે. (૪) મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોઇકોવસાવ બંધાય છે. (૫) આયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ બંધાય છે. (૬) નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોકોળસાળ બંધાય છે. (૭) ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોકોસાળ બંધાય છે. (૮) અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોકો,સાળ બંધાય છે. સાગરની ઉપમાવાળો જે કાલ છે. તે “સાગરોપમ” કહેવાય. ૧ક્રોડ ૧કોડ ૧ કોડાકોડી ૧૦૦૦૦૦૦૦ x ૧૦૦૦૦૦૦૦ = ૧,૦000000,0000000 ૭૦ કોઇકોઇસાઇ = ૭૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ સાગરોપમ થાય. એક જ સમયમાં તીવ્રતમ કષાયોદયજન્ય પરિણામથી બંધાયેલું મોહનીયકર્મ વધુમાં વધુ ૭૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ સાગરોપમ સુધી આત્મપ્રદેશો ઉપર રહી શકે છે. તેથી મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડીસાગરોપમ કહી છે. એક જ સમયમાં તીવ્રતમ કષાયોદયજન્ય પરિણામથી બંધાયેલા જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મ વધુમાં વધુ ૩૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સાગરોપમ સુધી આત્મપ્રદેશો ઉપર રહી શકે છે. તેથી જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ કહી છે. એક જ સમયમાં તીવ્રતમ કષાયોદયજન્ય પરિણામથી બંધાયેલું
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy