SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સયોગીગુણશ્રેણીમાં દરેકસમયે સયોગીકેવલીભગવંતને એક સરખો પરિણામ હોવાથી દરેક સમયે સરખા જ દલિકોને ઉતારે છે અને દલરચનાના અંતર્મુહૂર્તમાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું દલિક ભોગવાઇને નાશ પામતું જાય છે. તેમ તેમ ઉપરઉપરના એક-એક નિષેકમાં દલરચનારૂપગુણશ્રેણી વધતી જાય છે. એટલે દરેકસમયે દલરચનાના સ્થાનો સરખા જ હોય છે. એ રીતે, આયોજિકાકરણ શરૂ ન થાય ત્યાંસુધી સમજવું.... આયોજિકાકરણ કાળમાં અયોગીકેવલીગુણશ્રેણી [દલરચનારૂપગુણશ્રેણી થાય છે. કારણ કે અયોગીકેવલીભગવંત યોગના અભાવે અપવર્તનાકરણથી દલિતોને ઉતારીને અસંખ્યગુણાકારે ગોઠવવારૂપ ક્રિયા કરતાં નથી. એટલે અયોગીકેવલી ભગવંતને દલરચનારૂપગુણશ્રેણી થતી નથી. માત્ર કર્મનિર્જરારૂપગુણશ્રેણી થાય છે. (૧૧) અયોગ કેવલીગુણશ્રેણી - અયોગીકેવલીભગવંત અયોગગુણઠાણાના પ્રથમસમયે ઉદયવતી પ્રકૃતિના ઉદયપ્રાપ્તર્ષિકમાં રહેલું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં, અનુદયવતી પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. એ રીતે, અયોગગુણઠાણાના છેલ્લાસમય સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે કર્મનિર્જરારૂપ અયોગીકેવલીગુણશ્રેણી” થાય છે. ચિત્રનં૦૩માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... અયોગગુણઠાણાનું અંતર્મુહૂર્ત=સમય માનવામાં આવે, તો... પ્રથમસમયે અયોગીકેવલીભગવંત ઉદયવતીપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત પ્રથમનિષેકમાં રહેલું દલિક વિપાકોદયથી અને ઉદયવતીના ઉદયસમયમાં, અનુદયવતીનું ઉદયપ્રાપ્તપ્રથમનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યાં છે. ૩૦૯OT
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy