SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ભાષાગ્રહણયોગ્યવર્ગણા - તૈજસઅગ્રહણયોગ્યઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી - એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય], બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ બોલવાની ક્રિયા કરી શકતો હોવાથી તે અનંતીવર્ગણાના એકવિભાગને ભાષાને માટે ગ્રહણયોગ્ય દસમીવર્ગણા કહી છે. ભાષાગ્રહણયોગ્યજ0વર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમોભાગ પરમાણ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉ0વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંત પરમાણુઓ હોવાથી જ0વર્ગણાથી ઉ0વર્ગણા સુધીની અનંતવર્ગણા થાય છે. (૧૧) ભાષા અગ્રહણયોગ્યવર્ગણા - ભાષાગ્રહણયોગ્યઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એકએક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, [જઘન્ય], બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણીવર્ગણા હોય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધો જીવને ભાષાને માટે સૂમ પડે છે અને શ્વાસોચ્છવાસને માટે સ્થૂલ પડે છે. તેથી તે સ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અનંતવર્ગણાના એકવિભાગને ભાષાને માટે અગ્રહણયોગ્ય અગ્યારમીવર્ગણા કહી છે. ભાષાઅગ્રહણયોગ્યજ)વર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેને અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમાભાગ પ્રમાણ રાશિથી ગુણતાં જેટલા પરમાણુ આવે તેટલી વર્ગણા હોય છે. એટલે અગ્રહણયોગ્યવર્ગણા અભવ્યથી અનંતગુણી છે. (૧૨) શ્વાસોચ્છવાસગ્રહણયોગ્યવર્ગણા - ભાષાઅગ્રહણયોગ્યઉ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય), બીજી, ત્રીજી વગેરે અનંતવર્ગણા હોય છે. તે વર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા કરી શકતો હોવાથી એ અનંતવર્ગણાના એકવિભાગને શ્વાસોચ્છવાસને માટે ગ્રહણયોગ્ય બારમીવર્ગણા કહી છે.
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy